Site icon

Baba Vishwanath: કાશી વિશ્વનાથ મંદિરે જવાનું વિચારી રહ્યાં છો? તો પહેલાં આ સમાચાર વાંચી લેજો, નહીં તો થશે હાલ બેહાલ…

Baba Vishwanath: આગામી 15 દિવસ માટે મંગળા અને સપ્તર્ષિ આરતી માટેની ટિકિટ બુક થઈ ગઈ છે. સાથે જ શ્રૃંગાર અને ભોગ આરતી માટેની ટિકિટનું બુકિંગ પણ 29મી મે સુધી થઈ ગયું છે. ટિકિટનું બુકિંગ માત્ર ઓનલાઈન થઈ રહ્યું છે.

Baba Vishwanath Kashi Vishwanath Mangala Aarti booking full till 31 may

Baba Vishwanath Kashi Vishwanath Mangala Aarti booking full till 31 may

News Continuous Bureau | Mumbai

Baba Vishwanath: આધ્યાત્મિકતા પર ચૂંટણીના વાતાવરણની અસર ઉત્તર પ્રદેશના કાશીમાં પણ જોવા મળી રહી છે. દેશભરમાંથી શ્રી કાશી વિશ્વનાથ ધામમાં આવતા ભક્તોની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. સ્થિતિ એવી છે કે હવે આગામી 15 દિવસ સુધી બાબાની આરતીનું બુકિંગ ફુલ થઈ ગયું છે. 

Join Our WhatsApp Community

Baba Vishwanath: 16 થી 31 મે સુધીની બાબા વિશ્વનાથની મંગળા આરતી માટેની તમામ ટિકિટો બુક 

મંગળા આરતી અને સપ્તર્ષિ આરતીની ઓનલાઈન ટિકિટ હવે 31 મે સુધી બુક થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બાબાની આરતીના દર્શનનું સપનું લઈને દૂર દૂરથી અહીં આવતા શ્રદ્ધાળુઓને નિરાશ થઈને પાછા ફરવાની ફરજ પડી રહી છે. મળતી માહિતી મુજબ, 16 થી 31 મે સુધીની બાબા વિશ્વનાથની મંગળા આરતી માટેની તમામ ટિકિટો બુક થઈ ગઈ છે. ત્યારપછી જૂન મહિનામાં પણ ત્રીજી તારીખની તમામ ટિકિટો એડવાન્સમાં બુક થઈ ગઈ છે. સપ્તર્ષિ આરતીના બુકિંગની સ્થિતિ પણ આવી જ છે. સપ્તર્ષિ આરતી માટેની ટિકિટો પણ 31મી મે સુધી ફૂલ છે.

આ સમાચાર  પણ વાંચો :  શું તમે ઉજ્જૈનના મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લેવા માંગો છો, તો જાણો બુકિંગ સંબંધિત આ નવા નિયમો… નહીં તો થશે હેરાનગતિ..

Baba Vishwanath: દરરોજ પાંચ થાય છે આરતી 

ઉલ્લેખનીય છે કે બાબા વિશ્વનાથની મંગળા આરતી દરરોજ સવારે 2:45 વાગ્યે થાય છે. આ આરતી પછી બાબાના દ્વાર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું હતું કે બાબા વિશ્વનાથની દરરોજ પાંચ આરતીઓ કરવામાં આવે છે. તે મંગળા આરતીથી શરૂ થાય છે, પછી મધ્યાહન ભોગ આરતી, સપ્તર્ષિ આરતી, રાત્રે શ્રૃંગાર ભોગ આરતી અને અંતે રાત્રે 10.30 વાગ્યે શયન આરતી પછી, બાબાનો દરવાજો બંધ થાય છે.

 

 

Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’
Sunetra Pawar: સુનેત્રા પવારના ડેપ્યુટી CM પદ પર ઉદ્ધવ જૂથનો પલટવાર, ભાજપના ‘પ્લાન’નો પર્દાફાશ
Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Exit mobile version