News Continuous Bureau | Mumbai
Badaun Double Murder: ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) બદાયુના બાબા કોલોનીમાં મંગળવારે સાંજે નજીવી તકરારમાં બે સગા ભાઈઓની ( Borthers ) કુહાડી વડે ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલામાં ત્રીજા ભાઈને ગંભીર ઈજા થઈ હતી. આ દરમિયાન પોલીસે આ ઘટનાના આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. ડબલ મર્ડર કેસ બાદ વાતાવરણ જોતા પોલીસ અધિકારીઓ અને સુરક્ષા જવાનોએ આજે સવારે શહેરમાં કડક બંદોબદસ્ત ગોઠવી દીધો હતો.
ડબલ મર્ડર કેસમાં ( Double Murder ) એસએસપી બદાયુએ નિવેદન આપતા કહ્યું હતું કે, શહેરમાં આજે કાયદો અને વ્યવસ્થા એકદમ સામાન્ય છે. શહેરમાં કોઈ સમસ્યા નથી. જિલ્લામાં સર્વત્ર સ્થિતિ સામાન્ય છે. અમે સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છીએ. આરોપી પીડિતાના પરિવારના ઘરની સામે તેના વાળંદનો સ્ટોલ રાખતો હતો. તેમના ઘરે પણ મુલાકાતો થતી હતી. ગઈકાલે સાંજે 7:30 કલાકે તે ઘરની અંદર ગયો હતો અને ટેરેસ પર રમતા બે બાળકો પર કુલ્હાડી વડે હુમલો કરીને મારી ( Murder case ) નાખ્યા હતા. આ બાદ આરોપી જ્યારે ત્યાંથી જવા લાગ્યો ત્યારે ટોળાએ તેને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ભીડથી બચીને ભાગી ગયો. પોલીસને માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને સંભાળી હતી. જ્યારે પોલીસે આરોપીને ઘેરીને પકડવાનો પ્રયાસ કર્યો તો તેણે પોલીસ પર ગોળીબાર કર્યો. જવાબી ગોળીબારમાં ( Firing ) આરોપી મૃત્યુ પામ્યો હતો.
મંગળવારે મોડી સાંજે આરોપી તેની દુકાનની સામે આવેલા પાડોશીના ઘરમાં ઘુસ્યો હતો. આ દરમિયાન તેણે ઘરના પરિવારજનો પાસે પાંચ હજાર રૂપિયાની માંગણી કરી હતી. મૃતક બાળકોની માતાએ નિવેદન આપતા કહ્યું હતું કે, “હું મારા ઘરમાં કોસ્મેટિકની દુકાન ચલાવું છું. સાંજે આરોપી ઘરે આવ્યો અને પહેલા તેણે કેટલીક વસ્તુઓ માંગી જે મેં તેને આપી. થોડા સમય પછી તેણે 5000 રૂપિયા માંગ્યા. મેં મારા પતિ સાથે વાત કરી અને તેને 5000 રૂપિયા આપ્યા.
બે બાળકોની ઘાતકી હત્યાનો આરોપી છે, આરોપી ઘટનાસ્થળ પરથી ભાગી ગયો
પીડીતાએ વધુમાં કહ્યું હતું કે, “તે પછી આરોપીએ કહ્યું કે તેની તબિયત સારી નથી અને આવું કહીને તે ઘરના ઉપરના માળે ગયો. બંને બાળકો ટેરેસ પર રમતા હતા. મૃતક બાળકોની દાદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આરોપીએ ત્રીજા બાળક પાસે પાણી લઈને ટેરેસ પર બોલાવ્યો હતો. ત્રીજો બાળક જ્યારે પાણી લઈને ઉપર ગયો હતો અને થોડીવાર પછી તેમની ચીસોના અવાજો આવવા લાગ્યા હતા. કારણ કે આરોપીના હાથમાં કુહાડી હતી જે લોહીથી લથપથ હતી. જે બાદ ત્રીજો બાળક પર આરોપીએ હુમલો કર્યો હતો. જેમાં ત્રીજો બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : Mirzapur 3: મિર્ઝાપુર 3 માટે થઇ જાઓ તૈયાર, આવી રહ્યા છે કાલીન ભૈયા, સિરીઝ ના પોસ્ટર એ વધાર્યો લોકો માં ઉત્સાહ
બરેલી રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IG) એ મિડીયાને કહ્યું હતું કે, આરોપી ઘટનાના કલાકો બાદ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેણે કહ્યું, “ઘટના પછી, લોહીથી લથબથ આરોપી, જે બે બાળકોની ઘાતકી હત્યાનો આરોપી છે, તે સ્થળ પરથી ભાગી ગયો. જ્યારે અમારી ટીમને તેના વિશે ખબર પડી અને તેનો પીછો કર્યો ત્યારે તે શેકુપુરના જંગલમાં જોવા મળ્યો હતો. જ્યારે અમારી એસઓજી અને પોલીસ સ્ટેશન પીછો કરીને ત્યાં પહોંચ્યા, ત્યારે આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો અને પછી પોલીસના જવાબી ગોળીબારમાં તે ઘાયલ થયો અને મૃત્યુ પામ્યો.
બીજી તરફ, ઘટનાસ્થળે એકત્ર થયેલ ભીડ 8.30 વાગ્યે ગુસ્સે થઈ ગઈ હતી. સાજીદ અને અન્ય કેટલીક દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં પીએસી, પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરીને રાત્રે 9:30 વાગ્યા સુધીમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાશે.
આ દરમિયાન આઈજીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. હાલ આ મામલામાં વધુ તપાસ ચાલુ છે. આજે શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં રહે તે માટે કામગીરી ચાલુ છે.
