ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં મોટી રેલીઓ પરનો પ્રતિબંધ લંબાવ્યો, પરંતુ બદલાઈ ગયા પ્રચાર સાથે જોડાયેલા આ નિયમ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 જાન્યુઆરી 2022         

સોમવાર.

પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટી રેલીઓ પર પ્રતિબંધ હાલ પૂરતો ચાલુ રહેશે.

ચૂંટણી પંચે રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે, પરંતુ ઘણા નિયંત્રણો હળવા કર્યા છે. 

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ખુલ્લી જગ્યાએ આયોજિત બેઠકમાં 1000 લોકો ભાગ લઈ શકે છે. 

સાથે સાથે ઈનડોર બેઠકમાં 300ની જગ્યાએ 500 લોકો ભાગ લઈ શકશે. 

આ સિવાય ડોર ટુ ડોર ઝુંબેશના નિયમ પણ હળવા કરવામાં આવ્યા છે. જેમાં હવે 20 લોકો ઘરે-ઘરે જઈને પ્રચાર કરી શકશે.

કોરોના મહામારી કંટ્રોલમાં આવ્યા બાદ ચૂંટણી પંચે સોમવારે આ નિર્ણય લીધો છે.

બજેટ સત્ર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રજૂ કર્યું મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ, ગણાવી આ ઉપલબ્ધિઓ 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More