રંગે ચંગે ગૌરી ગણપતિએ લીધી વિદાય- મહારાષ્ટ્રના આ શહેરમાં વિસર્જન માટે ગયેલા ગણેશ ભક્તો પર મધમાખીઓ વિફરી- કરી દીધો હુમલો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બે વર્ષ બાદ મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રભર(Maharashtra)માં કોઈ પ્રતિબંધ વિના ધામધૂમથી ગણેશોત્સવ(ganesh festival)ની ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે ગૌરી ગણેશ(Gauri Ganesh Visarjan)નું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિબાપ્પાને ધામધૂમથી ઢોલ-તાશાના તાલે અને ‘ગણપતિબાપ્પા મોરિયા પુઢચ્યા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જોકે, કોલ્હાપુર(Kolhapur)ના એક તાલુકામાં ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

આ સમાચાર પણ વાંચો :  ઉત્તર મુંબઈના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખના માટે મોટી મુસીબત આવી- ગેરકાયદે સ્ટુડિયો સંદર્ભે બીએમસી એ આ મોટું પગલું લીધું

કોલ્હાપુરના શાહુવાડી(Shahuvadi) તાલુકામાં સુપાત્રે ગામના તળાવ વિસ્તારમાં ગણેશ વિસર્જન(Ganesh Visarjan) કરવામાં આવ્યું હતું. દરમિયાન કેટલાક ગણેશ ભક્તોએ અહીં ફટાકડા ફોડ્યા હતા. આ ફટાકડા(Fire crackers)માંથી એક ફટાકડો મધપૂડા(honeycomb)માં ફૂટતાં વિફરેલી મધમાખી(honey bees)ઓએ ગણેશ ભક્તો પર હુમલો (Attack) કર્યો હતો. જેમાં 42 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સોમવારે સાંજે 5 આસપાસ બની હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક બામ્બાવડે આરોગ્યવર્ધિની કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 38ને રજા આપવામાં આવી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More