Site icon News Continuous Bureau | Mumbai

રંગે ચંગે ગૌરી ગણપતિએ લીધી વિદાય- મહારાષ્ટ્રના આ શહેરમાં વિસર્જન માટે ગયેલા ગણેશ ભક્તો પર મધમાખીઓ વિફરી- કરી દીધો હુમલો

News Continuous Bureau | Mumbai

બે વર્ષ બાદ મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રભર(Maharashtra)માં કોઈ પ્રતિબંધ વિના ધામધૂમથી ગણેશોત્સવ(ganesh festival)ની ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે ગૌરી ગણેશ(Gauri Ganesh Visarjan)નું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિબાપ્પાને ધામધૂમથી ઢોલ-તાશાના તાલે અને ‘ગણપતિબાપ્પા મોરિયા પુઢચ્યા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જોકે, કોલ્હાપુર(Kolhapur)ના એક તાલુકામાં ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  ઉત્તર મુંબઈના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખના માટે મોટી મુસીબત આવી- ગેરકાયદે સ્ટુડિયો સંદર્ભે બીએમસી એ આ મોટું પગલું લીધું

કોલ્હાપુરના શાહુવાડી(Shahuvadi) તાલુકામાં સુપાત્રે ગામના તળાવ વિસ્તારમાં ગણેશ વિસર્જન(Ganesh Visarjan) કરવામાં આવ્યું હતું. દરમિયાન કેટલાક ગણેશ ભક્તોએ અહીં ફટાકડા ફોડ્યા હતા. આ ફટાકડા(Fire crackers)માંથી એક ફટાકડો મધપૂડા(honeycomb)માં ફૂટતાં વિફરેલી મધમાખી(honey bees)ઓએ ગણેશ ભક્તો પર હુમલો (Attack) કર્યો હતો. જેમાં 42 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સોમવારે સાંજે 5 આસપાસ બની હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક બામ્બાવડે આરોગ્યવર્ધિની કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 38ને રજા આપવામાં આવી છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version