Site icon News Continuous Bureau | Mumbai

નવા વર્ષના કોઈ પ્લાન બનાવ્યા છે? જો જાણી લો મહારાષ્ટ્ર સરકાર કયા નવા પ્રતિબંધ લાવી છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Channel

 શુક્રવાર.  

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના સહિત તેના નવા વેરિયન્યટ ઓમીક્રોનના સતત કેસ વધી રહ્યા છે. ગુરુવારે ઓમીક્રોનના કેસની સંખ્યા 450 ઉપર અને કોરોનાના સાડા પાંચ હજાર કેસ નોંધાયા હતા. તેમાં પાછું થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં  ભીડની થવાની શક્યતા છે. તેથી રાજ્ય સરકારે કોરોનાને લગતા નવા નવા નિયમો ગુરુવારે મોડી રાતે જાહેર કર્યા હતા, જે 31 ડિસેમ્બરના મધરાતથી અમલમાં આવશે. 

નવા નિયમ મુજબ બંધ હોલ અથવા ખુલ્લી જગ્યામાં ફક્ત 50 લોકોને હાજર રહેવાની મંજૂરી હશે. તે મુજબ તમામ પ્રકારના સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમ તે પછી બંધ હોલ હોય કે ખુલ્લી જગ્યા હોય તેમાં ફક્ત 50 લોકોને હાજર રહેવાની મંજૂરી હશે. તો અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોને હાજર રહેવાની મંજૂરી હશે.

UP માં ચૂંટણી અગઉ ઘેરાયા મોટા માથા, પિયૂષ જૈન બાદ હવે સપના આ MLCનાં ઘરે દરોડા; લૉન્ચ કર્યું હતું સમાજવાદી પરફ્યુમ

વધતા જતા કોરોનાના ચેપને કારણે પર્યટન સ્થળ, દરિયા કિનારા, ખુલ્લા મેદાન જેવા સ્થળો માટે 144ની કલમ લગાવી દેવામાં આવી છે. તેથી આ સ્થળો પર પાંચથી વધુ લોકોના એક સાથે જમા થવા પર પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં  કોરોનાનો પ્રભાવ જે રીતે વધી રહ્યો છે, તેને જોતા આગામી દિવસમાં વધુ આકરા પ્રતિબંધ લાદવાની ચેતવણી પણ હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આપી છે. 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version