Site icon

ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી વોર્નીગ લેવલે.. 20 ગામોને એલર્ટ કરાયાં.. વાંચો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 સપ્ટેમ્બર 2020

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીનો મોટો જથ્થો નર્મદા નદીમાં આવતા 20 દિવસમાં જ ત્રીજીવાર નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 28.40 ફૂટે પહોંચી ગઈ છે. હાલ ભરૂચ પાસે નર્મદા નદી તેની ભયજનક સપાટી 25 ફૂટથી 4 ફૂટ ઉપર વહી રહી છે. જેને કારણે નદી કાંઠાના 20 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 

નર્મદા નદીએ ભયજનક સપાટી ક્રોસ કરતા ભરૂચ સિટી, અંકલેશ્વર અને ઝઘડિયાના 20 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. આ એલર્ટને પગલે તંત્ર સ્ટેન્ડબાય પરિસ્થિતિમાં આવી ગયું છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાંથી 2.35 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટી ફરી વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પ્રતિ સેકંડે 49.22 લાખ લિટર (1.75 લાખ ક્યુસેક) પાણી નર્મદા નદીમાં ઠલવાય છે. નર્મદા ડેમના બુધવારે 23 દરવાજા ખોલી 4 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેવાં સમયે સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા ચાર જિલ્લાના 52 ગામોને એલર્ટ કરી દેવાયા છે. કિનારાના ઝૂંપડાવાસીઓને ખસેડવાની કવાયત થઈ રહી છે. આમ તો નદીની સપાટી 28 ફૂટે પહોંચે ત્યારે જ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશે. હાલના તબક્કે શહેરમાં કોઇ ચિંતાજનક બાબત નથી, એમ પ્રશાસને જણાવ્યું છે..

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version