Site icon

ભાવના ગવળી આ કારણે ED કાર્યાલયમાં જતાં ડરે છે; માગ્યો 15 દિવસનો સમય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

હાલમાં શિવસેનાના સાંસદ ભાવના ગવળીના ટ્રસ્ટમાં 72 કરોડ રૂપિયાની કથિત હેરાફેરીની તપાસ ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ(ED) કરી રહી છે. EDએ ૧૮મી ઓક્ટોબરના રોજ તેમને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા પણ તેઓ ED સમક્ષ ઉપસ્થિત થયા નહોતા. તેમના ઉપર ધરપકડની તલવાર પણ લટકી રહી છે. તેમણે ED પાસે પંદર દિવસનો સમય માગ્યો છે.

આ પહેલાં પણ EDએ ભાવના ગવળીને પૂછપરછ માટે બોલાવ્યા હતા તે વખતે તેઓ હાજર થયા ન હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગવળીને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની જેમ ધરપકડનો ડર સતાવી રહ્યો છે.

મુંબઈની શાળામાં અભ્યાસ કરતા પ્રત્યેક બાળકને ટેબલેટ આપો. આદિત્ય ઠાકરે નું સ્વપ્ન.

ED એ ભાવના ગવળીના નજીકના સઈદ ખાનની ધરપકડ કરી છે.

ભાવના ગવળીની કંપની ઉપર અનિયમિતતાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. કંપનીએ બે અલગ અલગ બેન્કો પાસેથી ૭.૫ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. ત્યારબાદ કંપનીને ગવળીના ખાનગી સચિવને 7.9 કરોડમાં વેચી દીધી હતી. ગત કેટલાક દિવસોમાં તેમના ઘર અને ઓફિસ સહિત પાંચ ઠેકાણે છાપેમારી થઈ હતી.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version