Bhopal: ભોપાલમાં સાત મહિનાના સૂતેલા માસૂમ બાળક સાથે રખડતા કૂતરાઓએ કર્યું આ કામ.. પોલીસ તપાસ ચાલુ.

Bhopal: અયોધ્યા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવ નગર બસ્તી પાસે રહેતી એક મહિલા તેના છ મહિનાના બાળકને સૂતેલું છોડીને થોડીવાર માટે બહાર ગઈ હતી ત્યારે રખડતા કૂતરાઓ સુતેલા બાળકને ઘરની બહાર ખેંચી ગયા હતા અને કૂતરાઓએ આ સાત મહિનાના બાળકને ફાડી ખાધું હતું.

by Bipin Mewada
Bhopal In Bhopal, stray dogs did this with a seven-month-old sleeping innocent baby.. Police investigation continues

News Continuous Bureau | Mumbai

Bhopal: ભોપાલમાં શુક્રવારે એક દર્દનાક ઘટના સામે આવી હતી. અયોધ્યા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવ નગર બસ્તી પાસે રહેતી એક મહિલા તેના છ મહિનાના બાળકને સૂતેલું છોડીને થોડીવાર માટે બહાર ગઈ હતી ત્યારે રખડતા કૂતરાઓ ( Stray dogs ) સુતેલા બાળકને ઘરની બહાર ખેંચી ગયા હતા અને કૂતરાઓએ આ સાત મહિનાના બાળકને ( Baby Boy  ) ફાડી ખાધું હતું. તેનો એક હાથ કુતરાઓ ખાઈ ગયા હતા. બાળકના માથા અને પેટ સહિત સમગ્ર શરીર પર કરડવાના નિશાન હતા. પરિવારના સભ્યો બાળકની શોધમાં જ્યારે પહોંચ્યા હતા. ત્યારે બાળકનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.  

પ્રાપ્ત માહિતી મુજબ, પરિવાર એક મજુર વર્ગ છે. જે કેન્ટોનમેન્ટ પ્લેટો બિલખીરિયામાં તેના પરિવાર સાથે રહે છે. ફરિયાદી માતા પિતા મીનલ રેસિડેન્સી વિસ્તારના ગેટ નંબર ચાર પાસે સફાઈનું કામ કરે છે. બંને ગુરુવારે અહીં કામ કરવા પહોંચ્યા હતા. સવારે 10 વાગે બાળકને દૂધ પીવડાવી સૂતેલુ મુકી મહિલા કામ કરવા બહાર ગઈ હતી. દરમિયાન, આ સુતેલા બાળકને રખડતા કૂતરાઓ તેના ઘરથી દૂર ખેંચી ગયા હતા. માતા જ્યારે પાછી આવી ત્યારે બાળકને ન જોઈને તે ચોંકી ગઈ હતી અને તેણે તરત જ તેના પતિને ઘરે બોલાવ્યો હતો. જે બાદ વિસ્તારના લોકોએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળમાં લોકોને બાળક થોડે દૂર મળી આવ્યું હતું પરંતુ તે પહેલાથી જ મૃત્યુ પામેલ હાલમાં હતું. બાળકના સમગ્ર શરીર પર કરડવાના ( Bitten ) નિશાન હતા. તેમજ રખડતા કૂતરાઓ બાળકનો એક હાથ સંપૂર્ણપણે ખાઈ ગયા હતા.

પોલીસ તપાસ ચાલુ થઈ…

મોત બાદ તેના માતા-પિતા આઘાતની સાથે સ્તબ્ધ ગયા હતા. તેથી તેઓએ કંઈપણ જાહેર કર્યા વિના બાળકના મૃતદેહને ( dead body ) દફનાવી દીધો હતો. આ મામલે અયોધ્યા નગર પોલીસ ( Bhopal Police ) સ્ટેશનને કહ્યું હતું કે બાળકના માતા-પિતાનું દિલ ભાંગી પડ્યું છે. એટલા માટે તેઓએ હજુ સુધી જણાવ્યું નથી કે બાળકને ક્યાં દફનાવવામાં આવ્યું છે. તેથી આ મામલે માતા પિતાનું નિવેદન લીધા બાદ જ મૃતદેહને બહાર કાઢવામાં આવશે અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જે બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ ખબર પડશે કે બાળકનું મોત કૂતરાના કરડવાથી થયું કે અન્ય કોઈ કારણથી.

આ સમાચાર પણ વાંચો : Amit Shah: અમૃતકાળની આ પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું સશક્તીકરણ થયું છે : કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ

પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલાને ગંભીરતાથી ન લઈને ઢાંકપિછોડો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઘટના બન્યા બાદ લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી પરિવારજનોએ પોલીસને સોગંદનામું આપ્યું હતું અને પોસ્ટમોર્ટમ ( Postmortem ) કરાવવાની ના પાડી દીધી હતી. તેથી આ મામલામાં પોલીસે કંઈ કર્યું ન હતું. શુક્રવારે જ્યારે આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે સાંજે 7.15 વાગ્યે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More