Site icon

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ આ તારીખે યોજાશે, આટલા નવા ચહેરાઓને સામેલ કરાશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ આગામી દિવસોએ નવા મંત્રી મંડળની શપથવિધિ યોજાશે. 

સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ 16 સપ્ટેમ્બરે રાજભવનમાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. 

નવા મંત્રી મંડળની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોપવામાં આવી છે. અમિત શાહે ગત રાત્રે મંત્રીમંડળને લઇને મહત્વની બેઠક યોજી હતી. 

રાજ્યમાં નવા મંત્રી મંડળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા યુવાઓને વધુ તક આપવામાં આવી શકે છે.

તમામ સમાજ-જ્ઞાતિને રાજકીય પ્રતિનિધિત્વ આપી પ્રધાનમંડળ રચવા કવાયત હાથ ધરવામાં આવશે. પ્રદિપ સિંહ જાડેજાને પ્રમોશન મળે તેવી શક્યતા છે. 

રૂપાણી મંત્રી મંડળમાં સામેલ હતા તેવા 10થી વધારે મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા છે. 

જોકે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 12 જેટલા નવા ચહેરાઓને સામેલ કરાશે. 

શું વાત છે? ઘરમાં દીકરી પેદા થઈ તેનાથી ઝૂમી ઊઠ્યો આખો પરિવાર, લોકોને 50 હજાર પાણીપૂરીઓ ખવડાવી 

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version