Site icon

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ આ તારીખે યોજાશે, આટલા નવા ચહેરાઓને સામેલ કરાશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ આગામી દિવસોએ નવા મંત્રી મંડળની શપથવિધિ યોજાશે. 

સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ 16 સપ્ટેમ્બરે રાજભવનમાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. 

નવા મંત્રી મંડળની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોપવામાં આવી છે. અમિત શાહે ગત રાત્રે મંત્રીમંડળને લઇને મહત્વની બેઠક યોજી હતી. 

રાજ્યમાં નવા મંત્રી મંડળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા યુવાઓને વધુ તક આપવામાં આવી શકે છે.

તમામ સમાજ-જ્ઞાતિને રાજકીય પ્રતિનિધિત્વ આપી પ્રધાનમંડળ રચવા કવાયત હાથ ધરવામાં આવશે. પ્રદિપ સિંહ જાડેજાને પ્રમોશન મળે તેવી શક્યતા છે. 

રૂપાણી મંત્રી મંડળમાં સામેલ હતા તેવા 10થી વધારે મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા છે. 

જોકે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં 12 જેટલા નવા ચહેરાઓને સામેલ કરાશે. 

શું વાત છે? ઘરમાં દીકરી પેદા થઈ તેનાથી ઝૂમી ઊઠ્યો આખો પરિવાર, લોકોને 50 હજાર પાણીપૂરીઓ ખવડાવી 

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version