Site icon

  ગુજરાતને મળ્યા 18માં મુખ્યમંત્રી: ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત લીધા શપથ..  કોણ બન્યા મંત્રી? જુઓ આખું લિસ્ટ અહીં  

ભુપેન્દ્ર પટેલે આજે બીજીવાર મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુપેન્દ્ર પટેલને શપથ લેવડાવ્યા છે.

Public interest decision of Chief Minister Shri Bhupendra Patel promoting green clean urban transport service in the state

Public interest decision of Chief Minister Shri Bhupendra Patel promoting green clean urban transport service in the state

News Continuous Bureau | Mumbai

ભુપેન્દ્ર પટેલે આજે બીજીવાર મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુપેન્દ્ર પટેલને શપથ લેવડાવ્યા છે. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને અભિનંદન પાઠવ્યા.  શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, યોગી, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, સ્મૃતિ ઈરાની, દુષ્યંત ચૌટાલા, મહેન્દ્ર પાંડે, શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે સિંધિયા, રઘુવર દાસ, જી કિશન રેડ્ડી, મનોહર લાલ, રાજનાથ સહિત ઘણા નેતાઓ મંચ પર હાજર રહ્યા છે.

Join Our WhatsApp Community

આ મંત્રીઓએ લીધા શપથ  

1- કનુભાઈ દેસાઈ

2- હૃષીકેશ પટેલ

3- રાઘવજી પટેલ

4- બળવંતસિંહ રાજપૂત

5- કુંવરજી બાવળિયા

6- મૂળુભાઈ બેરા

7- ભાનુબેન બાબરીયાથ

8- કુબેર ડીડોર.

9- હર્ષ સંઘવી

10- જગદીશ વિશ્વકર્મા

ભૂપેન્દ્ર પટેલની સાથે ઉપરોક્ત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા લીધા છે. જોકે હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચેય MLA ભાજપમાં જાય તેવી શક્યતા

મળતી માહિતી મુજબ આ વખતે ભાજપે રિપીટ અને નો-રિપિટ થિયરી અપનાવી છે. મોટાભાગે મંત્રીમંડળ નક્કી કરતી વખતે મોટા માથા, જાતિ સહિતના પરિબળો ધ્યાને લેવામાં આવતા હોય છે, જો કે આ વખતે ભાજપની રેકોર્ડ બ્રેક જીત સાથે કોઈ બાધ રાખવામાં આવી નથી. જોકે મીડિયા અહેવાલો મુજબ આ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાનું માનવામાં આવી રહ્યું છે.  

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version