Site icon

હેં!! કર્ણાટકની આ સ્કૂલે વિદ્યાર્થીઓ માટે બહાર પાડ્યો અજબ ફતવો, દક્ષિણપંથીઓ નારાજ… જાણો વિગતે

maharashtra education commissioner direct to education officer for take action against bogus school

maharashtra education commissioner direct to education officer for take action against bogus school

News Continuous Bureau | Mumbai

દક્ષિણ ભારત(South India)ના કર્ણાટક (Karnataka)રાજ્યના બેંગલોર(Bangalore school student)ની એક સ્કુલે પોતાના વિદ્યાર્થીઓ માટે અજબ ફતવો બહાર પાડ્યો છે. તે મુજબ વિદ્યાર્થીઓને પોતાની સાથે સ્કુલે બાઈબલ(Bible)ને લઈ જવુ જરૂરી રહેશે. સ્કૂલ મેનેજમેન્ટના આ નિર્ણય સામે દક્ષિણપંથી જૂથે નારાજગી વ્યક્ત કરી છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ બેંગ્લોરની આ સ્કુલએ માતા-પિતા પાસેથી એક શપથ પત્ર પણ લીધો છે, જેમાં વિદ્યાર્થીઓએ સ્કુલમાં બાઇબલ કે ભજન(bible or bhajan booki)નું પુસ્તક લઈ જવા સામે કોઈ વાંધો નહીં હોવાનું જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : બાળપણમાં PM મોદી જ્યાં ચા વેચતા તે ટી સ્ટોલનું કરાયું નવીનીકરણ, આબેહૂબ તેવો સ્ટોલ બાજુમાં તે જ નંબર સાથે શરૂ કરાયો; જુઓ તસવીરો, જાણો વિગતે

સ્કૂલ મેનેજમેન્ટ(School Management)ના આ નવા નિર્દેશ પર દક્ષિણપંથીઓ જૂથની પ્રતિક્રિયાઓ સામે આવી છે, જેમણે આને કર્ણાટક શિક્ષણ અધિનિયમનુ ઉલ્લંઘન ગણાવ્યું છે. તેઓએ એવો આરોપ મુક્યો છે કે વિદ્યાર્થીઓ પર તેમની ઈચ્છા વિરૂદ્ધ ધાર્મિક શિક્ષણ થોપવામાં આવી રહ્યુ છે. આ જૂથે શિક્ષણ વિભાગને સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પણ માગણી કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કર્ણાટક સરકારે સ્કુલમાં ભગવદ ગીતા(Bhagavad Gita)ને સ્કુલના અભ્યાસક્રમમાં સામેલ કરવાના આયોજનની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ જોકે કહ્યુ હતુ કે ભગવદ્ ગીતાને સ્કુલના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય ચર્ચા બાદ લેવામાં આવશે. કર્ણાટક સિવાય ગુજરાત સરકારે પણ શૈક્ષણિક વર્ષ 2022-23થી ભગવદ ગીતા ધોરણ 6થી 12 સુધીના શાળાકીય અભ્યાસક્રમનો ભાગ હશે એવી જાહેરાત કરી છે.

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version