Site icon News Continuous Bureau | Mumbai

Bhimashankar Temple: ભીમાશંકર મંદિર પ્રશાસનને લીધો મોટો નિર્ણય; મંદિર પરિસરમાં મોબાઈલ ફોન પર લાગ્યો પ્રતિબંધ.. જાણો શું છે કારણ?

Bhimashankar Temple: પુણેના ભીમાશંકર મંદિર વિસ્તારમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Big decision of Bhimashankar temple administration; Cell phone usage is prohibited in the temple premises

Big decision of Bhimashankar temple administration; Cell phone usage is prohibited in the temple premises

News Continuous Bureau | Mumbai 

 Bhimashankar Temple: પૂણે (Pune) જિલ્લાના બાર જ્યોતિર્લિંગો (Twelve Jyotirlingas) માંના એક ભીમાશંકર મંદિર (Bhimashankar Temple) ના પરિસરમાં ભક્તોને મોબાઈલ ફોન (Mobile Phone) નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ (Ban) મૂકવામાં આવ્યો છે. આગામી શ્રાવણ માસમાં મંદિરમાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Channel

શ્રાવણ માસમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભીમાશંકર દર્શન માટે આવે છે. આ દરમિયાન મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળે છે. આ કારણે, મંદિર પ્રશાસને મંદિરના ગાભારા, મુખ્ય મંડપ અને પરિસરમાં ભીડ કરીને ભક્તોને અસુવિધા ન કરવી જોઈએ અને બધા માટે દર્શન સરળ બનાવવા જોઈએ; તેમજ મંદિરના પ્રમુખ સુરેશ કૌદ્રે, ઉપપ્રમુખ વિકાસ ધાગે પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે મોબાઈલ ફોનના ઉપયોગ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Tomato Price: આ શહેરમાં મળે છે સૌથી સસ્તા ટામેટા, માત્ર આટલા રુપિયા પ્રતિ કિલો. જાણો શા કારણે બધાથી આટલા સસ્તા..

જો કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કે તસવીરો લેતા જોવા મળશે તો…

ભીમાશંકરની મુલાકાતે આવતા ભક્તોએ ગાભરા, મુખ્ય મંડપ અને મંદિર પરિસરમાં ફોટા ન લેવા જોઈએ; તેમજ દેવસ્થાને મોબાઈલ ફોન બંધ રાખીને સહકાર આપવા અપીલ કરી છે. જેના કારણે જો કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કે તસવીરો લેતા જોવા મળશે તો મંદિર વતી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version