Site icon

ગુજરાત સરકારનો મોટો નિર્ણય; વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં એસટી બસસેવા બંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોના અને તાઉતે વાવાઝોડાની આફત વચ્ચે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યમાં પરિવહન સેવા સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે કર્યો છે. આ નિર્ણયને પગલે એસટી બસસેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેશે અને જ્યાં સુધી વાવાઝોડું ફંટાય નહીં જાય ત્યાં સુધી આ નિર્ણય અમલમાં રહેશે. વાવાઝોડામાં રાહતકાર્ય માટે એસટી બસ ફાળવવામાં આવી છે.

વાવાઝોડાની અસરને કારણે બનાસકાંઠા જિલ્લામાં તમામ બસ રૂટ આજે બપોરથી બંધ કરી દેવામાં આવ્યા હતા. જિલ્લાના ૧૪ તાલુકાઓમાં ૬૫૦થી પણ વધુ રૂટની બસો સ્થગિત કરવામાં આવી છે. અચાનક બસો બંધ થઈ જતાં અનેક મુસાફરો અટવાઈ પડ્યા હતા. હિંમતનગરમાં પણ ૫૧૫ બસ સેવા રદ થઈ હતી. રાજ્યમાં એસટી બસ બંધ થઈ જતાં હવે પ્રવાસીઓએ મોટી હાલાકીનો સામનો કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, મહુવા જેવા જિલ્લાઓ વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત થયા હતા. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં જોરદાર પવન સાથે આઠ ઈંચ વરસાદ પડ્યો હતો.

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Sunetra Pawar: કોણ છે સુનેત્રા પવાર? જેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM બનીને રચશે ઈતિહાસ; જાણો તેમના અભ્યાસ અને સામાજિક કાર્યો વિશેની વિગતો
Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Exit mobile version