Site icon News Continuous Bureau | Mumbai

Mundhwa Land Deal: શીતલ તેજવાનીનો વિસ્ફોટક ખુલાસો: મુંધવા લેન્ડ ડીલ કૌભાંડમાં ૧૦૦૦ પાનાના સબમિશનથી હડકંપ, તપાસ પર પ્રશ્નાર્થ!

મુખ્ય આરોપી શીતલ તેજવાનીએ ખડગે કમિટીને 1,000 પાનાનું સબમિશન આપીને મુંધવા લેન્ડ ડીલ તપાસની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા; તેમણે અમાડિયા એલએલપી દ્વારા ચૂકવણી ન થવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

Mundhwa Land Deal શીતલ તેજવાનીનો વિસ્ફોટક ખુલાસો મુંધવા લેન્ડ ડી

Mundhwa Land Deal શીતલ તેજવાનીનો વિસ્ફોટક ખુલાસો મુંધવા લેન્ડ ડી

News Continuous Bureau | Mumbai

Mundhwa Land Deal પુણેના ચર્ચિત મુંધવા લેન્ડ ડીલ કૌભાંડમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસની મુખ્ય આરોપી શીતલ તેજવાની દ્વારા ખડગે કમિટીને આપવામાં આવેલું વિગતવાર સબમિશન એક મીડિયા હાઉસ ને મળ્યું છે. આ એ જ મામલો છે જેમાં અમાડિયા એન્ટરપ્રાઇઝ એલએલપી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવારનું નામ સામે આવ્યું હતું. તેજવાનીએ તેમના વકીલ મારફતે આ સબમિશન જમા કરાવ્યું હતું, પરંતુ તેના બરાબર એક દિવસ પહેલાં જ પુણે પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

1,000 પાનાનું સબમિશન: તપાસની નિષ્પક્ષતા પર પ્રશ્નો

શીતલ તેજવાનીના આ સબમિશનમાં 1,000થી વધુ પાના છે, જેમાં તેમણે તપાસના અધિકારક્ષેત્ર, નિષ્પક્ષતા અને કાનૂની આધાર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. તેમનું કહેવું છે કે મહેસૂલ વિભાગની ઘણી કાર્યવાહીઓ પહેલેથી જ બોમ્બે હાઇકોર્ટની દેખરેખ હેઠળ ચાલી રહી છે, ત્યારે તે જ વિભાગ આ કેસમાં સ્વતંત્ર તપાસ કેવી રીતે કરી શકે? તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યારે મહેસૂલ વિભાગ પોતે જ ન્યાયિક સમીક્ષાના દાયરામાં છે, તો તે પોતાના જ વિવાદાસ્પદ નિર્ણયોની નિષ્પક્ષ તપાસ કરી શકે નહીં. તેમણે વતનદાર પરિવાર સાથે ચાલી રહેલા જૂના કાનૂની વિવાદનો પણ હવાલો આપ્યો છે.

અમાડિયા એલએલપી પર ચૂકવણી ન કરવાનો મુખ્ય આરોપ

પોતાના બચાવમાં શીતલ તેજવાનીએ ભારપૂર્વક કહ્યું છે કે આ જમીન સોદો સંપૂર્ણપણે કાનૂની હતો. તેમણે દાવો કર્યો કે તેમની પાસે વતનદાર પરિવાર દ્વારા જારી કરાયેલ રજિસ્ટર્ડ અને નોટરાઇઝ્ડ પાવર ઑફ એટર્ની (PoA) છે, જે તેમને ડીલ સંબંધિત અધિકારો પ્રદાન કરે છે. સૌથી મોટો આરોપ તેમણે અમાડિયા એન્ટરપ્રાઇઝ એલએલપી પર લગાવ્યો છે. તેજવાનીનું કહેવું છે કે અમાડિયાએ આ ડીલમાં એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. તેમના મતે, ચૂકવણી ન થવાના કિસ્સામાં વેચાણ દસ્તાવેજ (Sale Deed) માન્ય ગણી શકાય નહીં અને તેથી જમીનની માલિકી વતનદાર પરિવાર પાસે જ રહે છે. તેજવાનીએ જણાવ્યું કે PoA અને ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ સમયે તેમણે વતનદાર પરિવારને આશરે ₹2.5 કરોડ ચૂકવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Vande Bharat Sleeper: ભારતની પ્રથમ ‘વંદે ભારત સ્લીપર’ ટ્રેન આ મહિને શરૂ! આ રૂટ પર દોડશે ટ્રેન, મુસાફરોને મળશે મોટી રાહત

સેલ ડીડ રદ કરવા માટે સિવિલ મુકદ્દમો

અમાડિયાની કથિત બિન-ચૂકવણીને આધાર બનાવીને શીતલ તેજવાનીએ સ્પેશિફિક રિલીફ એક્ટ, 1963ની કલમ 34 હેઠળ સિવિલ મુકદ્દમો દાખલ કર્યો છે. જેમાં તેમણે વેચાણ દસ્તાવેજને રદ, ગેરકાયદેસર અને બિન-બંધનકર્તા જાહેર કરવાની માંગ કરી છે. તેજવાનીની ધરપકડ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ કાર્યવાહી બરાબર તે જ દિવસે કરવામાં આવી જ્યારે તેમને ખડગે કમિટી સમક્ષ પોતાનું સબમિશન રજૂ કરવાનું હતું. આર્થિક ગુના શાખા (EOW) આ મામલામાં અમાડિયા એન્ટરપ્રાઇઝ એલએલપી અને પાર્થ પવારની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.

 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version