Site icon

બિહારની રાજનીતિમાં વધી ગરમી: શું નીતીશની પાર્ટીના નેતાના જોડાશે ભાજપમાં? કે બનાવશે નવી પાર્ટી?

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાની જ પાર્ટી જેડીયુના સંસદીય દળના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ વિરુદ્ધ આકરી ટિપ્પણી કરી છે. આ દરમિયાન જેડીયુએ ખુદ ઉપેન્દ્રનું રાજીનામુ માંગી લીધું

Bihar CM Nitish Kumar asks 'close aide' Upendra Kushwaha to quit JD(U).

બિહારની રાજનીતિમાં વધી ગરમી: શું નીતીશની પાર્ટીના નેતાના જોડાશે ભાજપમાં? કે બનાવશે નવી પાર્ટી?

News Continuous Bureau | Mumbai

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાની જ પાર્ટી જેડીયુના સંસદીય દળના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ વિરુદ્ધ આકરી ટિપ્પણી કરી છે. આ દરમિયાન જેડીયુએ ખુદ ઉપેન્દ્રનું રાજીનામુ માંગી લીધું. એવામાં હવે આજનો દિવસ બિહારના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. આજે ઉપેન્દ્ર કુશવાહાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે અને એવી શક્યતાઓ છે કે આજે તેઓ JDU છોડીને પાર્ટીમાં પણ ભાગલા પાડી શકે છે, જે PM ઉમેદવારી વિશે વિચારી રહેલા નીતીશ કુમાર માટે પણ ઝટકો બની શકે છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, ઉપેન્દ્ર કુશવાહાએ તાજેતરમાં જ નીતીશ કુમારના નિવેદન અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે એમ કેમ પાર્ટી છોડીને જતો રહુ. તેમણે કહ્યું કે તે પણ તેમનો ભાગ લેશે. કુશવાહાના આ નિવેદન બાદ નીતીશ અને ઉપેન્દ્ર કુશવાહ વચ્ચે સીધો મુકાબલો સામે આવ્યો છે. બિહાર જેડીયુ પ્રમુખ ઉમેશ કુશવાહાએ પણ ઉપેન્દ્ર કુશવાહ પર પ્રહારો કર્યા અને એમ પણ કહી દીધી કે ઉપેન્દ્ર કુશવાહાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

વધતા વિવાદ વચ્ચે ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વીટ કર્યું કે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની રણનીતિ સ્પષ્ટ કરશે. એવામાં હવે માનવામાં આવી રહ્યું છે કે આજે તેઓ JDUના તમામ પદો પરથી રાજીનામું આપી શકે છે અને પાર્ટી છોડવાની જાહેરાત કરી શકે છે. ઉપેન્દ્ર કુશવાહ લાંબા સમયથી નીતીશ કુમારની નજીક છે, પરંતુ એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પણ નીતીશ કુમાર નબળા પડ્યા છે ત્યારે ઉપેન્દ્ર કુશવાહાએ સૌથી પહેલા પોતાનો પક્ષ બદલ્યો છે. તેમણે બિહારની ચૂંટણી પહેલા પોતાની સમતા પાર્ટીનો નીતીશની JDUમાં વિલય કરી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો:   પાકિસ્તાનનું પતન… જાણો જિન્નાહના સપનાનો દેશ ક્યારે થશે નાદાર, શું IMF કરશે મદદ?

જણાવી દઈએ કે ઉપેન્દ્ર કુશવાહાને લઈને મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ કહ્યું હતું કે જ્યાં જવું હોય ત્યાં જલ્દી ચાલ્યા જાઓ. જોકે ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે તેઓ ભાગ લીધા વિના કેવી રીતે ચાલ્યા જાય? સૂત્રોના જણાવ્યા અનુસાર આજે તેઓ પોતાનું રાજીનામું પણ આપી શકે છે. આ પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મુખ્યમંત્રી નીતીશ કુમારના નબળા હોવાની, જેડીયુના નબળા હોવાની અને નીતીશ કુમારે પાર્ટીની બેઠક બોલાવી અને જેડીયુ અને આરજેડી વચ્ચેની ડીલ અંગે સ્પષ્ટતા આપવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ઉપેન્દ્ર કુશવાહાની ભાજપના કેટલાક નેતાઓ સાથેની તસવીરો સામે આવી હતી, જે બાદ નીતીશ કુમાર ઉપેન્દ્ર કુશવાહાથી નારાજ થઈ ગયા હતા અને ત્યાંથી શરૂ થયેલો સંઘર્ષ હવે પાર્ટી છોડવા સુધી પહોંચી ગયો છે. ભાજપ ઉપેન્દ્ર કુશવાહા દ્વારા નવી તકો શોધી શકે છે કારણ કે કુશવાહા જેડીયુના સંસદીય દળના અધ્યક્ષ પણ છે. ત્યારે હવે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કુશવાહા જેડીયુમાં ભાગલા પાડવાનું કામ પણ કરી શકે છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version