‘અમારા પૂર્વજો તો હિન્દુ હતા, ધર્માંતરણ કરીને ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો’, બિહાર સરકારના આ મંત્રીના નિવેદનથી રાજકારણમાં હડકંપ ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ધર્મ પરિવર્તનના મુદ્દે થઈ રહેલા રાજકારણ વચ્ચે બિહાર સરકારના લઘુમતી કલ્યાણ મંત્રી જમા ખાને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

તેમણે પોતાને હિન્દુ જણાવીને કહ્યુ છે કે, મારા પૂર્વજો રાજપૂત હતા અને તેમણે ધર્માંતરણ કરીને ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો.

હાજીપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું હતું કે, ધર્માંતરણ જો પોતાની મરજીથી કરવામાં આવે તો તેમાં ખોટું નથી. 

આજે પણ મારા ખાનદાનના અડધા લોકો હિન્દુ છે અને તેમની સાથે મારી મુલાકાત પણ થતી રહે છે. ધર્મ પરિવર્તન ભાઈચારાથી કરી શકાય છે પણ જબરદસ્તી કોઈનો ધર્મ બદલાવવો ગુનો છે.

આરે કૉલોનીમાં અઠવાડિયા પહેલાં જ રિપેર થયેલા રસ્તાઓ વરસાદ આવતાં ધોવાઈ ગયા; દોઢ કિલોમીટરના અંતરમાં થયા ૫૦૦થી વધુ ખાડા, જુઓ ફોટા, જાણો વિગત 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More