લોકોના જીવ તાળવે ચોટયા: 100થી વધુ મુસાફરોને લઇને જતા વિમાનના પાયલોટને આવ્યો હાર્ટ એટેક, નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

શુક્રવાર

બાંગ્લાદેશથી જઇ રહેલા વિમાનને નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ 126 મુસાફરોને લઈ બાંગ્લાદેશ જતી ફ્લાઇટના પાયલેટને અચાનક હાર્ટ એટેક આવતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

હાલ તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પાયલોટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ વિમાન એરલાઇન્સની ફ્લાઇટ મસ્કતથી ઢાકા જઇ રહી હતી. વિમાન ભારત ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાયલોટને હૃદયરોગનો હુમલો આવ્યો. 

ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હવાઈ મુસાફરીની મંજૂરી આપ્યા બાદ, બીમાન બાંગ્લાદેશ એરલાઈન્સે તાજેતરમાં જ ભારત સાથે ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરી છે.

ભારતને મળશે વધુ એક સ્વદેશી વેક્સિન, આ કંપનીની કોરોના રસીને મળી ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More