Site icon

લોકોના જીવ તાળવે ચોટયા: 100થી વધુ મુસાફરોને લઇને જતા વિમાનના પાયલોટને આવ્યો હાર્ટ એટેક, નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

બાંગ્લાદેશથી જઇ રહેલા વિમાનને નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ 126 મુસાફરોને લઈ બાંગ્લાદેશ જતી ફ્લાઇટના પાયલેટને અચાનક હાર્ટ એટેક આવતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

હાલ તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પાયલોટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ વિમાન એરલાઇન્સની ફ્લાઇટ મસ્કતથી ઢાકા જઇ રહી હતી. વિમાન ભારત ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાયલોટને હૃદયરોગનો હુમલો આવ્યો. 

ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હવાઈ મુસાફરીની મંજૂરી આપ્યા બાદ, બીમાન બાંગ્લાદેશ એરલાઈન્સે તાજેતરમાં જ ભારત સાથે ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરી છે.

ભારતને મળશે વધુ એક સ્વદેશી વેક્સિન, આ કંપનીની કોરોના રસીને મળી ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી; જાણો વિગતે

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version