Site icon

ભાજપે ગાંધી પરિવારને લીધું સાણસામાં, નેશનલ હેરાલ્ડને ફાળવવામાં આવેલી જમીન પર ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવાની માંગ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Community

09 મે 2020

મુંબઈ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્યએ એક પત્ર રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખી, નેશનલ હેરાલ્ડના પ્રકાશકો, મેસર્સ એસોસિએટેડ જર્નલને ફાળવેલી જમીન પરત મેળવવા સૂચન કર્યું છે.  કેમ કે 1983 માં જે હેતુસર જમીન ફાળવવામાં આવી હતી તેના બદલે તેના પર 11 માળનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આથી રાજ્ય સરકારે આ જમીન પરત લેવી જોઈએ ” એવી માંગ પણ ભાજપે પોતાના નિવેદનમાં માંગ કરી. તેમના જણાવ્યા મુજબ બાંદ્રાની આસપાસથી કોરોના ના દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને હાલ જે સેન્ટર છે તે નાના પડી રહ્યા છે અહીં મોટો પ્રશ્ન એ છે કે લોકોને હોમકરોન્ટીન કરવાનું પણ કહી શકાય એમ નથી કારણકે લોકો ગરીબ છે અને ચાલી માં અથવા તો ઝૂંપડપટ્ટીમાં રહે છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડનો ગાંધી પરિવાર સાથે સીધો સંબંધ છે. આ સંપત્તિ ગાંધી પરિવારના નામ ઉપર બોલે છે. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. આમ ભાજપે ગાંધી પરિવારને સાણસામાં લીધું છે..

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version