મહાવિકાસ આઘાડીના હવે આ પ્રધાન પર ભાજપે સાધ્યું નિશાન, માગ્યુ રાજીનામું ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 નવેમ્બર,  2021

ગુરુવાર

એક મોડલની આત્મહત્યા કેસમાં વન મંત્રી સંજય રાઠોડના રાજીનામા બાદ હવે રાજ્યના જળ સંસાધન પ્રધાન શંકરરાવ ગડાખ પર ભાજપે નિશાન તાક્યું છે. અહમદનગરમાં ગડાખના અંગત સહાયક પ્રતીમ કાળેની આત્મહત્યાના પ્રકરણમાં  ભાજપે શંકરરાવ ગડાખના રાજીનામાની માગણી કરી છે.

અહો આશ્ચર્યમ : શું અનિલ દેશમુખ તમામ આરોપ મુક્ત? સો કરોડની વસુલે સંદર્ભે કોઇ સબૂત નથી. જાણો દિવાળી પહેલા કઈ રીતે મળી ક્લિનચિટ

ભાજપના પ્રવકતા કેશવ ઉપાધ્યે હજી સુધી શંકરરાવ ગડાખ સામે પોલીસમા એફઆઈઆર નહીં નોંધવા બદ્લ મહાવિકાસ આઘાડી સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી છે. ઠાકરેની આઘાડી સરકારમાં મહિલાઓ પર અત્યાચાર, ભ્રષ્ટાચાર, હપ્તા વસૂલી અને ભ્રષ્ટાચાર સંબંધિત કેસ વઘી ગયા છે. ત્યારે અહમદનગરના આત્મહત્યાના બનાવની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ એવી માગણી પણ ભાજપે કરી છે. ભાજપના આરોપ સામે જોકે શંકરરાવે પોતાની સામે કરવામાં આવેલા તમામ આરોપને ફગાવી દીધા હતા. તેમ જ પ્રતીક કાળેની આત્મહત્યા સાથે તેમનો કોઈ સંબંધ નહીં હોવાનો દાવો કર્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More