Site icon

કિરીટ સોમૈયાનો આક્ષેપ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના આ નેતાનો જરંડેશ્વર સુગર ફૅક્ટરી પર બેનામી રીતે કબજો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા વિભાગ દ્વારા પવાર પરિવારનાં ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ અત્યાર સુધીની સૌથી લાંબી છાપામારી હશે.

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પાસે બેનામી સંપત્તિ છે. સોમૈયાએ પ્રેસ-કૉન્ફરન્સમાં એના પ્રમાણપત્રો આપ્યાં હોવાથી પવારની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. સોમૈયાએ માગણી કરી છે કે અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપે.

હવે શરદ પવારે NCB અને કેન્દ્રીય તપાસ પર નિશાન તાક્યું; ભાજપ કેન્દ્રીય તપાસ પ્રણાલીનો ગેરઉપયોગ કરે છે

શરદ પવાર, રોહિત પવાર, અજિત પવાર, પાર્થ પવાર અને સુપ્રિયા સુલેને અમારો સીધો પ્રશ્ન એ છે કે જરંડેશ્વર સુગર ફૅક્ટરીના માલિકો જે મુખ્ય શૅરહોલ્ડરો છે તે પૈકી એક નામ મોહન પાટીલનું છે. જે વિજયા પાટીલના પતિ છે. બીજી નીતા પાટીલ છે. આ લોકો કોણ છે? અજિત પવારનો તેમની સાથે શું સંબંધ છે? સોમૈયાએ એમ પણ કહ્યું કે પવારે આનો ખુલાસો કરવો જોઈએ.

જરંડેશ્વર સુગર ફૅક્ટરી ખરીદવામાં આવી ત્યારે અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન, નાણાપ્રધાન હતા. બૅન્કમાં રાજ્ય સરકારના રૂપિયા છે. રાજ્ય સરકારનાં નાણાં નાણાપ્રધાનની મંજૂરી બાદ વાપરી શકાય છે. અજિત પવારે પોતે ફૅક્ટરી વેચી, એની હરાજી કરી અને એને પોતાની કંપની માટે ખરીદી. તમામ નિયમોનું ઉલ્લંઘન કર્યું. જરંડેશ્વર સુગર ફૅક્ટરી પર બેનામી રીતે કબજો લીધો છે. હવે તેઓ હોદ્દા પર રહી શકે નહીં, અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપે એવી માગણી સોમૈયાએ કરી છે.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version