Site icon

હવે ભાજપે પણ ભગતસિંહ કોશ્યારીના નિવેદન થી છેડો ફાડ્યો- આશિષ શેલારે કહ્યું કે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Bhagat Singh Koshyari)એ તાજેતરમાં ગુજરાતી(Gujarati) અને રાજસ્થાની(Rajasthani) લોકો વિશે આપેલા એક નિવેદનથી હાલ રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાજ્યપાલના નિવેદનની વિપક્ષ દ્વારા તેમની નિંદા કરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Community

વાત જાણે એમ છે કે ભગતસિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે  મહારાષ્ટ્ર(Maharashtra), ખાસ કરીને મુંબઈ અને થાણે(Thane)માંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં, હાલમાં મુંબઈ(mumbai) દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે, પરંતુ જો આ સમુદાયને દૂર કરવામાં આવશે તો મુંબઈની ઓળખ ભૂંસાઈ જશે. 

આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરે ભડક્યા-કહ્યું જે વિશે ભાન ન પડતી હોય તે વિશે

રાજ્યપાલના આ નિવેદનની હવે રાજ્યભરમાં નિંદા થઈ રહી છે. ત્યારે ભાજપ નેતા આશિષ શેલારે(Ashish Shelar) પણ રાજ્યપાલના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. 

 

તેમણે રાજ્યપાલના નિવેદનથી છેડો ફાડતા કહ્યું છે કે અમે રાજ્યપાલના નિવેદન સાથે બિલકુલ સહમત નથી. મહારાષ્ટ્ર અને મુંબઈ મરાઠી લોકોની મહેનત, પરસેવો અને શહાદત સાથે ઊભા છે. આપણો ભવ્ય ઈતિહાસ પણ આ જ કહે છે. 

 

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version