Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રાજકીય દુશ્મનો થશે હવે સંબંધી, મહારાષ્ટ્રના ભાજપના આ દિગ્ગજ નેતાની પુત્રી થશે ઠાકરે પરિવારની પુત્રવધુ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

મહારાષ્ટ્રમાં રાજકીય દુશ્મન ગણાતા ભાજપ અને શિવસેનાના નેતા પોતાની રાજકીય દુશ્મનીને ભૂલીને બહુ જલદી સંબંધી બનવા જઈ રહ્યા છે. મળેલ માહિતી મુજબ રાજયના ભૂતપૂર્વ મંત્રી અને ભાજપના નેતા હર્ષવર્ધન પાટીલની પુત્રી અંકિતા પાટીલ ઠાકરે પરિવારની પુત્રવધુ બનવા જઈ રહી છે. અંકિતાના બિંદુમાધવ ઠાકરેના પુત્ર નિહાર સાથે તેના 28 ડિસેમ્બરના લગ્ન થવાના છે.

 નિહાર બાળઠાકરેનો પૌત્ર છે અને મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેનો સગો ભત્રીજો છે.  નિહારના પિતા બિંદુમાધવ ઠાકરેનું 1996માં અક્સમાતમાં મોત થયું હતું. નિહાર વ્યવસાયે વકીલ છે. તો અંકિતા પાટીલ કોંગ્રેસથી પુણે જિલ્લા પરિષદની સભ્ય છે. તેમ જ ઈન્ડિય સુગર મિલ અસોસિયેશનની ડાયરેકટર પણ છે. તેના પિતા હર્ષવર્ધને 2019માં કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જોકે અંકિતા હજી સુધી કોંગ્રેસ સાથે જોડાયેલી છે. જોકે બહુ જલદી તે પણ ભાજપમાં જોડાઈ શકે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. 

પીએમ અને ગૃહ મંત્રી પર શિવસેનાએ સાધ્યું નિશાન, કહ્યું- દેશના શાસકોને માફી માંગવાની… જાણો વિગતે

Supreme Court hears Shiv Sena symbol dispute અસલી શિવસેના કોની? સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ જારી, આગામી સુનાવણી માટે કોર્ટે આપી નવી તારીખ.
Credit card hacking fraud ક્રેડિટ કાર્ડ હેક થતાં પ્રોડ્યુસરે ગુમાવ્યા ₹૨.૪૩ લાખ, અંબોલી પોલીસમાં FIR
Mumbai gas bill cyber fraud મુંબઈમાં ગેસ બિલના નામે ₹૭૦,૦૦૦ ની ઠગાઈની તપાસમાં ₹૬૩ કરોડના સાયબર કૌભાંડનો ખુલાસો
Raj Bhavan fake letterhead scam રાજભવનના બોગસ પત્રોથી LTT ની ટ્રેનોમાં 3AC કન્ફર્મેશન મેળવવાનો પર્દાફાશ
Exit mobile version