Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રાજકીય દુશ્મનો થશે હવે સંબંધી, મહારાષ્ટ્રના ભાજપના આ દિગ્ગજ નેતાની પુત્રી થશે ઠાકરે પરિવારની પુત્રવધુ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

મહારાષ્ટ્રમાં રાજકીય દુશ્મન ગણાતા ભાજપ અને શિવસેનાના નેતા પોતાની રાજકીય દુશ્મનીને ભૂલીને બહુ જલદી સંબંધી બનવા જઈ રહ્યા છે. મળેલ માહિતી મુજબ રાજયના ભૂતપૂર્વ મંત્રી અને ભાજપના નેતા હર્ષવર્ધન પાટીલની પુત્રી અંકિતા પાટીલ ઠાકરે પરિવારની પુત્રવધુ બનવા જઈ રહી છે. અંકિતાના બિંદુમાધવ ઠાકરેના પુત્ર નિહાર સાથે તેના 28 ડિસેમ્બરના લગ્ન થવાના છે.

 નિહાર બાળઠાકરેનો પૌત્ર છે અને મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેનો સગો ભત્રીજો છે.  નિહારના પિતા બિંદુમાધવ ઠાકરેનું 1996માં અક્સમાતમાં મોત થયું હતું. નિહાર વ્યવસાયે વકીલ છે. તો અંકિતા પાટીલ કોંગ્રેસથી પુણે જિલ્લા પરિષદની સભ્ય છે. તેમ જ ઈન્ડિય સુગર મિલ અસોસિયેશનની ડાયરેકટર પણ છે. તેના પિતા હર્ષવર્ધને 2019માં કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જોકે અંકિતા હજી સુધી કોંગ્રેસ સાથે જોડાયેલી છે. જોકે બહુ જલદી તે પણ ભાજપમાં જોડાઈ શકે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. 

પીએમ અને ગૃહ મંત્રી પર શિવસેનાએ સાધ્યું નિશાન, કહ્યું- દેશના શાસકોને માફી માંગવાની… જાણો વિગતે

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version