Site icon

Maharashtra Local Bodies Election : મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, જાણો કેટલી ગ્રામ પંચાયતો જીતી

મહારાષ્ટ્ર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 7,751 ગ્રામ પંચાયતોમાંથી 7,669 ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

BJP makes big win in Maharashtra local bodies and rural election

Maharashtra Local Bodies Election : મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, જાણો કેટલી ગ્રામ પંચાયતો જીતી

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ વધુ સારું પ્રદર્શન કરીને 2,352 ગ્રામ પંચાયતો જીતી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 1,558 ગ્રામ પંચાયતો જીતીને બીજા ક્રમે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી 980 બેઠકો જીતીને ત્રીજા સ્થાને છે, અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની બાળાસાહેબની શિવસેના 801 બેઠકો જીતીને ચોથા સ્થાને છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાર્ટીએ 705 બેઠકો મેળવી છે અને ગ્રામ પંચાયત ચૂંટણીમાં પાંચમા સ્થાને છે. આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં અપક્ષ ઉમેદવારોએ 1,281 ગ્રામ પંચાયતો જીતી છે. અત્યાર સુધીમાં કુલ 7,751 ગ્રામ પંચાયતોમાંથી 7,669 ગ્રામ પંચાયતોના ચૂંટણી પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણી પરિણામો પર દરેક પક્ષના નેતાઓએ પોત-પોતાની રીતે પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી શિંદેએ મતદારોનો આભાર માન્યો

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્યની જનતાએ તેમની પાર્ટીને વધુ સારા મત આપ્યા છે. ભાજપ-બાળાસાહેબની શિવસેના ગઠબંધનને પણ મત આપ્યો. મુખ્યમંત્રીએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યના ગ્રામીણ લોકોએ ભાજપને નંબર વન પાર્ટી બનાવી છે, તેથી તેમણે મતદારોનો આભાર વ્યક્ત કર્યો.

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાર્ટીના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું કે ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારેય પાર્ટીના ચિન્હ પર નથી લડાતી. માત્ર લોકસભા અને વિધાનસભા ચૂંટણી જ પાર્ટીના સિમ્બોલ પર લડવામાં આવે છે. તેથી આ વિષય પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.

આ સમાચાર પણ વાંચો: Covid – 19, Corona News : કોવિડ-19નો પ્રકોપ વધ્યો, ભારતે ઉઠાવ્યું આ મોટું પગલું

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version