Site icon News Continuous Bureau | Mumbai

12 વિધાનસભ્યોના નિલંબનના વિરોધમાં ભાજપના વિધાનસભ્યોએ મચાવી ધમાલ, વિધાનભવનના દાદરા પર બેસીને ચલાવ્યું પૅરૅલલ અધિવેશન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર.

ચોમાસું અધિવેશનના પહેલા જ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે ભાજપના 12 વિધાનસભ્યોને નિલંબિત કરવામાં આવ્યા હતા. એના વિરોધમાં આજે રાજ્યભરમાં ભાજપ દ્વારા વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. તો અધિવેશનના બીજા દિવસે વિધાનભવનમાં પણ ભાજપના વિધાનસભ્યોએ ભારે આક્રમકતા દેખાડી હતી.

લો બોલો! મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન આટલા વર્ષથી મંત્રાલય ગયા જ નથી; જાણો વિગત

અધિવેશન ચાલુ થવાના પહેલાં જ 12 સભ્યોના નિલંબન અને OBC રિર્ઝર્વેશનના મુદ્દે તેઓએ ધમાલ કરી મૂકી હતી. વિધાનભવનના દાદરા પર ભાજપના વિધાનસભ્યોએ બેસીને આંદોલન કર્યું હતું. સભાગૃહમાં બોલવા દેવામાં આવતું ન હોવાનું કહીને સભાગૃહની બહાર બેસીને પ્રતિકાત્મક પૅરૅલલ અધિવેશન ચલાવીને અધિવેશનનો બહિષ્કાર કર્યો હતો. ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમ  જ OBC, મરાઠા તેમ જ પછાતવર્ગના વિદ્યાર્થીઓની સાથે અન્યાય થઈ રહ્યો હોવાના દાવા સાથે ભાજપના વિધાનસભ્યોએ વિરોધ કર્યો હતો.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version