સીએમ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના આ સાંસદ થયા ઘાયલ, હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

બુધવાર

દિલ્હીમાં ભાજપ સાંસદ મનોજ તિવારી ગંભીર રીતે ઘાયલ થયા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ તેેઓ CM કેજરીવાલના ઘરની બહાર છઠ પૂજા મુદ્દે વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ તેમને ગંભીર રીતે ઈજા પહોચી છે. 

જેને કારણે તેમને દિલ્હીની સફદરગંજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

હાલ હોસ્પિટલમાં મનોજ તિવારી સારવાર હેઠળ છે તેમની સારવાર ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઘણા લોકો તહેવારો પર પ્રતિબંધને લઈને સરકારનો વિરોધ કરી રહ્યાં છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા પણ કેજરીવાલ સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

શરદ પવારનો બળાપો: મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવવામાં ભાજપ નિષ્ફળ ગયું એટલે અમારા પરિવારના સભ્યો પર દરોડા પાડી વેર લઈ રહ્યું છે
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More