Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના આ નેતાને ભાજપના ચંદ્રકાંત પાટીલે માનસિક દર્દી ગણાવ્યા, કહ્યું- તેમને ડોકટરના નિરીક્ષણ હેઠળ મુકવાની આવશ્યકતા છે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

સોમવાર.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વિવાદાસ્પદ નિવેદન કરનારા મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ ફરી એકવાર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેથી તેઓ ફરી ભાજપના રડાર પર આવી ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે તો એટલે સુધી કહી દીધું કે નાના પટોલે માનસિક દર્દી હોઈ તેમને ડોકટરોને નિરીક્ષણ હેઠળ મુકવાની આવશ્યકતા છે.

થોડા દિવસ પહેલા નાના પટોલેએ એક જાહેર સભામાં વિવાદસ્દ નિવેદન આપતા કહ્યું હતું કે, "હું મોદીને શ્રાપ આપી શકું છું, હું તેમને મારી શકું છું." જેને લઈને ભારે હોબાળો થયો હતો. ભાજપે સમગ્ર રાજ્યભર નાના પટોલેના ફોટાના વિરોધમાં 'જોડે માર' આંદોલન કર્યું હતું. ભારે વિવાદ થતા નાના પટોલેએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે મારું નિવેદન મોદી નામના ગેંગસ્ટરને સંબોધીને હતું. થોડા દિવસ બાદ મોદી નામનો ગુંડો આગળ આવ્યો હતો અને તેણે પોતાનું નિવેદન પણ આપ્યું હતું કે લોકો તેમને મોદી કહે છે કારણ કે તેમણે તેમની પત્નીને છોડી દીધી છે. 

કોરોના ગ્રહણ, ગુજરાતમાં વધતા કેસ વચ્ચે આ જિલ્લામાં સ્થિત બહુચરાજી મંદિર વધુ આટલા દિવસ બંધ રહેશે; જાણો વિગતે 

મોદી નામના કહેવાતા આ ગુંડા નિવેદનનો આધાર લઈને નાના પટોલેએ ફરી એકવાર વડા પ્રધાન મોદી માટે આપત્તિજનક નિવેદન આપ્યું છે કે "જે પોતાની પત્નીને છોડી દે છે તે મોદી છે," તેને પગલે નાના પટોલે ફરી એક વખત ભાજપના નિશાના પર આવી ગયા છે.

નાના પટોલે ફરી બફાટ કરતા મહારાષ્ટ્રના ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમની ટીકા કરતા કહ્યું હતું કે 'નાના પટોલેના શરીરમાં કંઈક ગરબડ હશે. તેમને ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવા જોઈએ. તેની માનસિક અને શારીરિક તપાસ થવી જોઈએ.  પટોલે વડાપ્રધાન પદ પર બેઠેલા વ્યક્તિ વિશે વાત કરીને પ્રસિદ્ધિ મેળવવાની તેમની પાર્ટીની નીતિનો અમલ કરે છે? એવો સવાલ પણ  પાટીલે કર્યો હતો અને કહ્યું હતું કે રાજકારણનું સ્તર કેટલું નીચે ગયું છે. 

MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
Exit mobile version