Site icon

કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા થતા ખળભળાટ

News Continuous Bureau | Mumbai

કર્ણાટકના(Karnatka) દક્ષિણ કન્નડ જિલ્લામાં(Kannad District) બીજેપી યુવા મોરચાના(BJP Yuva Morcha ) જિલ્લા સચિવ પ્રવિણ નેટ્ટારુની(Praveen Nettaru) ક્રૂરતાપૂર્વક ભરી હત્યા(Brutally killed) કરી દેવામાં આવી છે. પ્રવિણ બેલ્લારે(Bellari) ક્ષેત્ર પાસે એક પોલ્ટ્રીની દુકાન(Poultry shop) ચલાવતો હતો. દિવસભર કામ કર્યા પછી પ્રવિણ દુકાન બંધ કરીને જ્યારે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ બદમાશોએ ધારદાર હથિયારથી(Sharp weapon) તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત(Injured) થયેલા પ્રવિણે દમ તોડ્યો હતો. 

Join Our WhatsApp Community

દક્ષિણ કન્નડના એસપીએ(SP) જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળે કોઇ સીસીટીવી કેમેરા(CCTV Camera) હશે તો તેના ફૂટેજની મદદથી હુમલાખોરની શોધ કરવામાં આવશે. પોલીસે યુવા નેતાઓની નજીકના વ્યક્તિઓની પણ પૂછપરછ કરી છે. હત્યાનું કારણ વિશે હજુ માહિતી મળી નથી.

દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ(CM  Basavaraj Bommai) બીજેપી યુવા નેતાની(BJP Young Leader) હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્‌વટ(Tweet) કરીને કહ્યું કે, દક્ષિણ કન્નડ જિલ્લામાં અમારી પાર્ટીના કાર્યકર્તા પ્રવિણ નેટ્ટારુની બર્બર હત્યા નિંદનીય છે. આ પ્રકારના જધન્ય અપરાધ કરનારની જલ્દી ધરપકડ કરી લેવામાં આવશે અને કાયદા પ્રમાણે સજા કરવામાં આવશે. પ્રવિણની આત્માને શાંતિ મળે. ઈશ્વર તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. 

આ સમાચાર પણ વાંચો :  હે રામ- બિહારમાં બે મૃતક આઇએએસ ઓફિસરના પ્રમોશન થયાં-જાણો આખો છબરડો

બીજેપી યુવા મોરચાના નેતાની હત્યા પછી બીજેપીના કાર્યકર્તાઓમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. પ્રવિણ નેટ્ટારુની હત્યાના વિરોધમાં રાત્રે જ રસ્તા પર બેસી ગયા હતા. આ દરમિયાન તેમણે અપરાધીઓની(Criminals) જલ્દી ધરપકડ કરવાની માંગણી કરી છે. કર્ણાટકમાં ૨૩ જૂનના રોજ બીજેપીના નેતા મોહમ્મદ અનવરની(Mohammad Anwar) પણ હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હત્યારાઓએ ચપ્પાથી પ્રહાર કરી હત્યા કરી હતી. મોહમ્મદ અનવર ચિકમંગલુરના અર્બન યૂનિટના બીજેપીના મહાસચિવ હતા.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version