Site icon

ખરી કટોકટી આવી પડી. રાજ્યમાં માત્ર આટલું બ્લડ બાકી રહ્યું છે. અનેકના જીવ જોખમમાં. જાણો વિગત…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 3 એપ્રિલ 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી સાથે હવે હજી એક નવી મુશ્કેલીનો ઉમેરો થયો છે. રાજ્યમાં માત્ર 25,000 બોટલનો જ રક્ત પુરવઠો બચ્યો છે, જેથી રાજ્યમાં રક્તની અછત સર્જાય તેવી શક્યતા છે. તે બદલ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ યુવાનોને રક્તદાન કરવાનું આહવાન કર્યું છે.

Join Our WhatsApp Community

રક્તદાન કરનાર મોટો વર્ગ કૉલેજ, આઈ.ટી. અને કોર્પોરેટ ક્ષેત્રમાં છે. કોરોનાની પાબંદીઓને કારણે કૉલેજો બંધ છે તો કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું ક્લચર આવ્યું છે. દર વર્ષે કૉલેજનું એન.સી.સી. અને એન.એસ.એસ. યુનિટ રક્તદાન શિબિર યોજે છે. તે ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ રક્તદાન શિબિર યોજે છે. હાલ કોરોનાના કારણે રક્તદાન શિબિરની સંખ્યા ઘટી છે, જે આ સ્થિતિ માટે જવાબદાર છે.

એન.સી.પી.ના નેતા અને સાંસદ જિતેન્દ્ર આવ્હાડએ ટ્વીટ કરી જણાવ્યું કે હતું કે બ્લડ બેંકમાં રક્તનો પુરવઠો ઘટી રહ્યો છે. ઉપલબ્ધ પુરવઠો માત્ર સાતથી આઠ દિવસ ચાલી શકે એટલો જ છે. તેમણે પણ યુવાનોને રક્તદાન કરવાની અપીલ કરી હતી.

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version