Site icon

મુંબઈમાં સાર્વજનિક ગણેશોત્સવની કઈ રીતે ઉજવણી કરવી તેની ગાઈડલાઈન આવી ગઈ છે. વાંચો તેના નિયમો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 ઓગસ્ટ 2020 

ગણેશોત્સવ દરમિયાન શ્રીગણેશ ની મૂર્તિના આગમન અને વિસર્જન દરમિયાન શોભાયાત્રા કાઢવા પર પ્રતિબંધ રહેશે. તેમજ ઘરમાં જ આરતી, ભજન અને કીર્તન કરવા પડશે. એમ મુંબઈના કલેકટર દ્વારા ગણેશોત્સવ 2020 માટેની ગાઈડલાઈન માં કહેવાયું છે.

આ માર્ગદર્શિકા મુજબ — 

જિલ્લામાં એસટી બસના મુસાફરો માટે પ્રવેશ માટે અલગ ઇ-પાસની જરૂર રહેશે નહીં.. પરંતું અન્ય ખાનગી વાહનોમાં મુસાફરી કરનારાઓ માટે ઇ-પાસ ફરજિયાત રહેશે. 

જિલ્લામાં પ્રવેશતા નાગરિકોની તપાસ ફક્ત નાક પર જ કરવામાં આવશે. આ માટે આરોગ્ય વિભાગે ચેક પોઇન્ટ પર પૂરતા પ્રમાણમાં પલ્સ ઓક્સિમીટર, થર્મલ સ્કેનર, ઝડપી પરીક્ષણ કીટ આપવામાં આવશે..

સાર્વજનિક ગણેશોત્સવ માટે ગણેશ મંડળોએ સંબંધિત તહસિલદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરની પરવાનગી લેવી જરૂરી છે. 

ગણેશોત્સવ દરમિયાન ભજન, આરતી, ફુગડી, કીર્તન, ગૌરી ઓવાસા વગેરેમાં ન્યુનતમ લોકોની હાજરી રહેશે.

ગણપતિની મૂર્તિનું વિસર્જન ઘરે જ કરવું પડશે. અને સાર્વજનિક મંડળોના ગણપતિનું વિસર્જન એજ વૉર્ડમાં કરવા પડશે. નદી, દરિયા કિનારે જવાની મનાઈ રહેશે..

ગણેશ દર્શન માટે જાહેર ગણેશ મંડળોમાં ભીડ જમાં થવા દેવી નહીં. જે લોકો દર્શન માટે આવશે તેઓએ ભૌતિક અંતર, સેંઇટાઈઝર અને માસ્ક ફરજીયાત રહેશે.

મંડપમાં જીવાણુ નાશક્રિયા તેમજ થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવી પડશે. 

શ્રી ગણેશજીના દર્શન માટે ઓનલાઇન, કેબલ, વેબસાઇટ, ફેસબુક વગેરે દ્વારા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવી પડશે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version