Site icon

મુંબઈ મહાનગરપાલિકાએ 72 હોસ્પિટલોમાં કોરોનાની ટ્રીટમેન્ટ બંધ કરાવી, હવે તેમની પાસે ICU ના ખાટલા નથી. આ તે કેવો વહીવટ?

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Community

26 ઓગસ્ટ 2020 

મુંબઈ મહાનગરપાલિકાએ ગયા સપ્તાહે 72 જેટલી નાની નાની  હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ પર કોરોનાની સારવાર કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. એટલે કે 50  થી ઓછી બેડ ધરાવતી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર થઇ શકશે નહીં. પ્રશાસનના આ નિર્ણય બાદ શહેરના મોટા ભાગની ખાનગી હોસ્પિટલોમાં ICU રૂમની અછત સર્જાય છે. જેને કારણે મોટાભાગના લોકો હવે મોટી ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા મજબૂર બન્યાં છે. 

આમ તો  મોટાભાગના લોકો પોતાના ઘરની નજીક હોસ્પિટલમાં દાખલ થવાનું પસંદ કરતા હોય છે. પરંતુ 50 બેડ થી ઓછા બેડ ધરાવતા નર્સિંગ હોમમાં કોવિડ 19 ની સારવાર ન થતી હોવાથી બેડ ની અછત સર્જાઈ છે. અને દુરની મોંઘી જણાતી ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે.

આ ફરિયાદ સામે BMC ની  દલીલ છે કે શહેરની ખાનગી અને જાહેર હોસ્પિટલો માં મળી કુલ 1435 ICU બેડ છે. આથી બેડ ની અછત હોવાની વાત ખોટી છે. આ સાથે જ આરોગ્ય ખાતાના કમિશનરે જણાવ્યું હતું કે બીસીસી ગોરેગાવ એન એસ એસ સી અને દહીસર બીએમસી ના જમ્બો સેન્ટર માં મોટી સંખ્યામાં બેડ ઉપલબ્ધ છે.  પરંતુ,  અહીં વાત એ છે કે કોરોનાના ઘણા દર્દીઓ મનપાના જંબો સેંટર માં જવા માટે તૈયાર નથી. મનપાએ બેડ ન હોવાની વાત નકારતા કહ્યું કે પૂર્વી પરામાં રહેતા દર્દીઓ ઘાટકોપરની રાજાવાડી અને કુરલાની ભાભા હોસ્પિટલોમાં જઈ શકે છે. જ્યારે અંધેરી જોગેશ્વરી રહેતા લોકો સેવન હિલ્સમાં જઈ શકે છે. 

મુંબઈની નાની-મોટી 72 જેટલી નર્સિંગ હોમ ને બંધ કરવાનું કારણ જણાવતાં બીએમસીએ કહ્યું કે નાની-નાની હોસ્પિટલોમાં ICU ની સુવિધા ઉપલબ્ધ નથી હોતી. તેમજ કોરોના ના કારણે અન્ય બીમારીથી પીડિત દર્દીઓને બેડ મળવામાં તકલીફ થઈ રહી હતી. પરિણામે શહેરમાં મૃત્યુ દરમાં વધારો નોંધાયો હતો. આથી જ મનપા કમિશનરે  નિષ્ણાંતો અને મોટી ખાનગી હોસ્પિટલો સાથે મિટિંગ કરી ઉપરોક્ત નિર્ણય લીધો હતો..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Exit mobile version