Site icon

બીએમસીની 20% ને બદલે 10% પાણી કાપની જાહેરાત.. જાણો ક્યારે હટશે સંપૂર્ણ પાણી કાપ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 ઓગસ્ટ 2020 

મુંબઇગરાઓ માટે પાણી કાપને લઈ ને થોડાં રાહતનાં સમાચાર આવ્યા છે. બૃહદ્દમુબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ જાહેરાત કરી છે કે શુક્રવારથી 20 % પાણી કાપ ઘટાડીને 10 % કરવામાં આવશે. મુંબઈને પીવાનું પાણી પહોંચાડનારા તમામ સાત તળાવોનોનું પાણી શહેરને લગભગ 328 દિવસ સુધી ચાલશે, એમ મનપાના અધિકારીએ જણાવ્યું હતું.

 કેચમેન્ટ વિસ્તારોમાં પાણીનો કુલ સ્ટોક 85 % સુધી પહોંચી ગયો છે. હાલનો પાણી સ્ટોક પાછલા વર્ષ કરતા  ઓછો એટલે કે 94.28 % છે. આથી પાણી કાપને સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય લેવાયો નથી, કેમ કે તમામ તળાવો ભરાય ત્યાં સુધી મનપા રાહ જોશે.

એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે, “કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ભારે વરસાદ થયો છે. આમ છતાં પાણી કાપ રદ કરી શકાય એટલો નથી. પાણીનો કુલ સ્ટોક તેની નક્કી કરેલી સપાટી  સુધી પહોંચ્યો નથી. અને હજી આગામી દિવસોમાં કેટલો વરસાદ પડશે તેનાં પર પાણી કાપ નો આધાર રહેલો છે. આમ હાલ તો મુંબઈગરાઓ ને 20 ટકા પાણી કાપને બદલે 10 ટકા જ પાણી કાપ નો સામનો કરવો પડી રહ્યો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version