Site icon

બીએમસીની 20% ને બદલે 10% પાણી કાપની જાહેરાત.. જાણો ક્યારે હટશે સંપૂર્ણ પાણી કાપ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 ઓગસ્ટ 2020 

મુંબઇગરાઓ માટે પાણી કાપને લઈ ને થોડાં રાહતનાં સમાચાર આવ્યા છે. બૃહદ્દમુબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ જાહેરાત કરી છે કે શુક્રવારથી 20 % પાણી કાપ ઘટાડીને 10 % કરવામાં આવશે. મુંબઈને પીવાનું પાણી પહોંચાડનારા તમામ સાત તળાવોનોનું પાણી શહેરને લગભગ 328 દિવસ સુધી ચાલશે, એમ મનપાના અધિકારીએ જણાવ્યું હતું.

 કેચમેન્ટ વિસ્તારોમાં પાણીનો કુલ સ્ટોક 85 % સુધી પહોંચી ગયો છે. હાલનો પાણી સ્ટોક પાછલા વર્ષ કરતા  ઓછો એટલે કે 94.28 % છે. આથી પાણી કાપને સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય લેવાયો નથી, કેમ કે તમામ તળાવો ભરાય ત્યાં સુધી મનપા રાહ જોશે.

એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે, “કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ભારે વરસાદ થયો છે. આમ છતાં પાણી કાપ રદ કરી શકાય એટલો નથી. પાણીનો કુલ સ્ટોક તેની નક્કી કરેલી સપાટી  સુધી પહોંચ્યો નથી. અને હજી આગામી દિવસોમાં કેટલો વરસાદ પડશે તેનાં પર પાણી કાપ નો આધાર રહેલો છે. આમ હાલ તો મુંબઈગરાઓ ને 20 ટકા પાણી કાપને બદલે 10 ટકા જ પાણી કાપ નો સામનો કરવો પડી રહ્યો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version