ભાજપના વિવિધ વિપક્ષી નેતાઓના કથિત કૌભાંડોનો પર્દાફાશ કરીને સતત સમાચારોમાં રહેનારા ભાજપના નેતા કિરીટ સોમૈયાને હવે બોમ્બે હાઈકોર્ટે સારો ઝાટકો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે તેમની સામે ન્યાયિક તપાસનો નિર્દેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ બોમ્બે હાઈકોર્ટે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ NCP નેતા હસન મુશરફ સામે છેતરપિંડીના કેસમાં કોર્ટના આદેશ જારી કરવાની પ્રક્રિયાની નકલ કેવી રીતે મેળવી તે અંગે ન્યાયિક તપાસનો નિર્દેશ આપ્યો છે.
પુણેના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. દરમિયાન, જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને શર્મિલા દેશમુખની બેન્ચે મુશ્રીફને આગામી સુનાવણીની તારીખ સુધી 24 એપ્રિલ, 2023 સુધી બળજબરી કાર્યવાહીથી મુક્તિ આપી છે .
સબ-જ્યુડિશિયલ દસ્તાવેજો મેળવવા મામલે ન્યાયિક તપાસના આદેશ કિરીટ સોમૈયા માટે મોટો ફટકો હોવાનું કહેવાય છે. દરમિયાન કિરીટ સોમૈયા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે વિપક્ષો તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીથી બિહાર સુધી લાલુ યાદવના 15 ઠેકાણાઓ પર EDના દરોડા, તેજસ્વી-મીસા અને સંબંધીઓ પણ રડાર પર
Join Our WhatsApp Community