Site icon News Continuous Bureau | Mumbai

પિતાનો દાવો- કોવિડ વેક્સિનથી થયું પુત્રીનું મોત, આ કોરોના રસીની કંપની પાસેથી આટલા કરોડનું નુકસાન વસૂલવા ખટખટાવ્યા હાઈ કોર્ટના દરવાજા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરુવાર 

મુંબઈમાંથી કોરોના રસીને લઈને એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને મેડિકલ પ્રોફેસરના પિતાએ ૧૦૦૦ કરોડના વળતરની માગ કરી છે. અરજીમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રીનું મોત કોરોનાની વેક્સિનની આડઅસરને કારણે થયું છે. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પિતાએ દાવો કર્યો છે કે, તેમની પુત્રીનું મોત કોવિશિલ્ડ રસીની આડઅસરને કારણે થયું છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતા આ પીડિત પિતા દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, તેમની પુત્રી મેડિકલની વિદ્યાર્થીની હતી. કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે અને તેનાથી શરીર પર કોઈ ખોટી અસર થતી નથી. આ કારણે પોતે હેલ્થ વર્કર હોવાને કારણે તેણે પોતાની કોલેજમાં રસીનો ડોઝ લીધો હતો. પરંતુ રસીનો ડોઝ લીધા બાદ તેની હાલત વધુ બગડી અને અંતે તેનું મૃત્યુ થયું. 

મુંબઈ મહાનગરપાલિકાનું શિક્ષણ વિભાગનું બજેટ થયું રજૂ, એજ્યુકેશન માટે પાલિકાએ આટલા કરોડ ફાળવ્યા

મેડિકલ કોલેજની સ્ટુડન્ટના પિતાના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીએ ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કોવિશિલ્ડ રસીનો ડોઝ લીધો હતો અને ૧ માર્ચના રોજ તેનું અવસાન થયું હતું. પીડિતાના પિતાના કહેવા પ્રમાણે, તેમની પુત્રીનું મૃત્યુ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રસી ઉત્પાદક સીરમ સંસ્થાની ભૂલને કારણે થયું છે. તેથી, કોર્ટે સીરમ ઇન્સ્ટિટ્યૂટને તેમના નુકસાન માટે વળતર તરીકે એક હજાર કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવો જાેઈએ. તેમણે પોતાની અરજીમાં એમ પણ કહ્યું છે કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) અને AIIMSએ રસીની બિન-આડઅસર વિશે ખોટી માહિતી આપી હતી અને રાજ્ય સરકારે પણ તેની તપાસ કર્યા વિના રસી આપી હતી. 

તેમનું કહેવું છે કે પોતાની પુત્રીને ન્યાય મેળવવા અને અન્ય લોકોના જીવ બચાવવા માટે આ અરજી દાખલ કરી છે. તેમની માંગ છે કે સરકારે સ્વીકારવું જોઈએ કે તેમની પુત્રીને ખોટી માહિતી આપીને રસી આપવામાં આવી હતી. તે જ સમયે, તેમણે એવો પણ દાવો કર્યો છે કે ગૂગલ, યુટ્યુબ, મેટા જેવી કંપનીઓ રસીના કારણે મૃત્યુના સાચા આંકડા જાહેર કરી રહી નથી. તેથી કોર્ટે કેન્દ્ર સરકારને આ કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ આપવો જાેઈએ.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version