Site icon News Continuous Bureau | Mumbai

હેં! કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા બૉમ્બે યુનિવર્સિટીના સંચાલકો પાસે કર્મચારીઓને પગાર આપવા પૈસા નથી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ યુનિવર્સિટીમાં કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા કર્મચારીઓને પગાર આપવા પૈસા નથી, પરંતુ 142 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવા માટે પૈસા છે એવા આરોપ મુંબઈ યુનિવર્સિટીના સિનેટ સભ્યોએ તાજેતરમાં યુનિવર્સિટીના સભ્યોની યોજાયેલી સભામાં કર્યો છે.

વર્ષોથી કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા અસ્થાયી કર્મચારીઓને માંડ 8,000થી 9,000નો પગાર આપવામાં આવી રહ્યો છે. તેમને કાયમી સ્વરૂપે લેવામાં આવતા નથી. કોરોના સમયમાં પણ આ કર્મચારીઓને કોઈ આર્થિક મદદ કરવામાં આવી નથી, છતાં તેઓ સતત કામ કરી રહ્યા છે, જેમાં સિક્યૉરિટી ગાર્ડ સહિતના અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.

પાકિસ્તાન માટે પરમાણુ હથિયારો બનાવનાર અબ્દુલ કાદીર ખાનનું થયું નિધન, ભારતના આ રાજ્યમાં થયો હતો જન્મ; જાણો તેમની કારકિર્દી વિશે
 

હાલ યુનિવર્સિટીમાં 1,300 જગ્યા ખાલી છે, ત્યારે 20 વર્ષથી પણ વધુ સમયથી કૉન્ટ્રૅક્ટ પર કામ કરનારા કર્મચારીઓને કાયમી સ્વરૂપે લેવામાં આવે એવી માગણી પણ લાંબા સમયથી યુનિવર્સિટીના સિનેટ સભ્ય કરી રહ્યા છે. છતાં એના તરફ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સિનેટ સભ્યોએ યુનિવર્સિટી પાસે 142 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવા પૈસા છે, પણ વર્ષોથી મહેનત કરનારા કર્મચારીઓને આપવા પૈસા નથી એવો આરોપ કર્યો હતો. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સુહાસ પેડણેકરે આ બાબતે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું.

 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version