Site icon

Buldhana Accident News: સમૃદ્ધિ હાઈવે પર ભયાનક રોડ અકસ્માત, બસમાં સવાર 25 લોકોના મોત, 8 લોકોનો આબાદ બચાવ

Buldhana Accident News: મહારાષ્ટ્રના બુલઢાણામાં એક રોડ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવ્યું છે કે આ ઘટના સમૃદ્ધિ હાઇવે પર શુક્રવાર-શનિવારની વચ્ચેની રાત્રે બની હતી.

News Continuous Bureau | Mumbai 

Buldhana Accident News: મહારાષ્ટ્ર (Maharashtra) ના બુલઢાણા (Buldhana) માં એક ભયાનક રોડ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. શુક્રવાર-શનિવારની રાત્રે સર્જાયેલા અકસ્માતમાં આઠ લોકોનો આબાદ બચાવ થયો હતો.આ અકસ્માત બુલઢાણા જિલ્લાના દુસરબીડ અને સિંદખેડ રાજા વચ્ચે પિંપલખુટા શિવાર ખાતે સમૃદ્ધિ હાઈવે (Samriddhi Highway) પર થયો હતો. દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના મધરાતે લગભગ 1:26 વાગ્યે બની હતી. પોલીસ અને સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, નાગપુરથી ઔરંગાબાદ રૂટ પર, બસ પહેલા જમણી બાજુના લોખંડના પોલ સાથે અથડાઈ અને પછી બે લેન વચ્ચેના કોંક્રિટ ડિવાઈડર સાથે અથડાઈને બેકાબૂ થઈ ગઈ અને પલટી ગઈ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Vodafone Idea: Vodafone Ideaના 601 રૂપિયાના દૈનિક પ્લાનમાં મળે છે 3GB ડેટા, જાણો આ પ્લાનના ફાયદા

બસ પલટી જતા જ તે ડાબી બાજુએ પલટી ગઈ, જેના લીધે બસનો દરવાજો નીચે દબાઈ ગયો. જેના કારણે લોકો માટે બહાર નીકળવાનો કોઈ રસ્તો બચ્યો નથી. અકસ્માત બાદ બસનું ઘણું ડીઝલ રોડ પર ફેલાઈ ગયું છે, જેથી ડીઝલની ટાંકી ફાટી અથવા ડીઝલ ટાંકીમાંથી એન્જિન સુધી સપ્લાયની પાઇપ ફાટી અને બસમાં આગ લાગી હોવાની આશંકા છે.

જે લોકો બચી ગયા તેમના જણાવ્યા મુજબ, ફક્ત તે જ લોકો બચ્યા જેઓ હાથ વડે બારીના કાચ તોડીને બહાર નીકળવામાં સફળ રહ્યા. બસમાં 33 મુસાફરો હતા, પોલીસે 25 મૃતદેહ(25 People Dead) બહાર કાઢ્યા છે. ત્યાં 8 લોકો બચી ગયા. જે મૃતદેહોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે તે બળી ગયા છે. જેના કારણે મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ છે.

બસનું ટાયર ફાટ્યું હતું – ડ્રાઈવર

બુલઢાણા ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુની (Deputy ACP Baburao Mahamuni) એ જણાવ્યું હતું કે બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર 32 મુસાફરોને લઈને જતી બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
બુલઢાના એસપી સુનીલ કડાસેને (SP Sunil Kadasne) જણાવ્યું કે બસમાં કુલ 33 લોકો સવાર હતા, જેમાંથી 25 લોકોના મોત થયા અને 8 લોકો ઘાયલ થયા. બસનો ડ્રાઈવર બચી ગયો અને કહ્યું કે ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી.

આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 1 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Maharashtra Weather Update: આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ; ગાજવીજ અને પવન સાથે માવઠાની શક્યતા
India US Trade Deal 2026: રશિયા સાથેની જૂની મિત્રતા અને અમેરિકા સાથે નવી ‘ડીલ’: શું ભારત ખરેખર રશિયન તેલ બંધ કરશે? જાણો શું છે અસલી ગણિત
Exit mobile version