Site icon

Bus Accident: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં 2 ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ભયંકર અકસ્માત… 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત.. 30 ઘાયલ.. જાણો સમગ્ર ઘટના અહીં…..

Bus Accident: આ બે બસો મલકાપુર શહેરના લક્ષ્મી નગર ફ્લાયઓવર પર આવતાં જ એક ભયાનક અકસ્માત થયો જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા.

Bus Accident: 6 Killed, 20 Injured As 2 Buses Collide In Maharashtra's Buldhana Distric

Bus Accident: 6 Killed, 20 Injured As 2 Buses Collide In Maharashtra's Buldhana Distric

News Continuous Bureau | Mumbai

Bus Accident: બુલઢાણા (Buldhana) જિલ્લાના મલકાપુર શહેરમાં બે ખાનગી ટ્રાવેલ્સ (Private Travels) નો ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 25 થી 30 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માતમાં મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. આ અકસ્માત આજે સવારે 3 વાગ્યાની આસપાસ મલકાપુર શહેરના હાઇવે નંબર 6 પર થયો હતો.

Join Our WhatsApp Community

દુર્ઘટના અંગે મળતી વધુ માહિતી એવી છે કે અમરનાથ યાત્રાએ ગયા બાદ ખાનગી બસ MH08, 9458 હિંગોલી તરફ જઈ રહી હતી. આ બસમાં 40 જેટલા ભક્તો હતા. બીજી તરફ MH 27 BX 4466 બસ નાગપુરથી નાસિક તરફ જઈ રહી હતી. પરંતુ મલકાપુર શહેરના લક્ષ્મીનગર ફ્લાયઓવર પર પહોંચતા જ બંને બસ સામસામે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અન્ય ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દરમિયાન, આ ભયંકર અકસ્માતમાં બંને બસોને પણ ઘણું નુકસાન થયું હતું અને અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ અધિક્ષક સુનિલ કડાસાને, સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર ગવળીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Mega Block: મુંબઈગરઓ માટે મહત્ત્વના સમાચાર, રવિવારે ત્રણેય રેલવે લાઈનો પર મેગા બ્લોક.. જાણો સંપુર્ણ શેડ્યુલ અહીં…

બુલઢાણા જિલ્લામાં તાજેતરમાં આ બીજી મોટી બસ અકસ્માત છે

બુલઢાણા જિલ્લામાં તાજેતરમાં આ બીજી મોટી બસ અકસ્માત છે. 1 જુલાઈના રોજ, જિલ્લામાં સમૃદ્ધિ-મહામાર્ગ એક્સપ્રેસવે (Samruddhi Expressway) પર બસમાં આગ લાગવાથી ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા 25 લોકો દાઝી ગયા હતા અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા .વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ત્યારે કહ્યું હતું કે તેઓ જાનહાનિથી “ખૂબ જ દુઃખી” છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) એ પણ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹ 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. અગાઉ, 23 મેના રોજ, બુલઢાણા જિલ્લામાં નાગપુર-પુણે હાઇવે પર એક બસ અને ટ્રક સાથે અથડાતાં સાત લોકોના મોત થયા હતા અને 13 અન્ય ઘાયલ થયા હતા .

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version