Site icon News Continuous Bureau | Mumbai

CAA Rules: CAA કાયદા મામલે અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ઘેર્યા.. કહ્યું તેઓ સમજાવે કે મહારાષ્ટ્રમાં આ કાયદો કેમ ન લાગુ થવો જોઈએ.. જુઓ વિડીયો..

CAA Rules: અમિત શાહે વધુમાં કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેને હાલ લઘુમતીઓના વોટની જરૂર છે, તેથી જ આજે ઉદ્ધવ ઠાકરે તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. અમે નથી કરી રહ્યા. કારણ કે અમારો સ્ટેન્ડ પહેલા દિવસથી સ્પષ્ટ છે.

CAA Rules Amit Shah surrounded Uddhav Thackeray on CAA law issue.. asked him to explain why this law should not be implemented in Maharashtra..

CAA Rules Amit Shah surrounded Uddhav Thackeray on CAA law issue.. asked him to explain why this law should not be implemented in Maharashtra..

News Continuous Bureau | Mumbai

CAA Rules: ગૃહ પ્રધાન અમિત શાહે CAAના મુદ્દે મહારાષ્ટ્રના ( Maharashtra ) ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ( Uddhav Thackeray ) ઘેર્યા છે. અમિત શાહે કહ્યું, ‘ઉદ્ધવજીને મારી વિનંતી છે કે તેઓ પહેલા એ સ્પષ્ટ કરે કે કાયદા (CAA)ની જરૂર છે કે નહીં. શું ઉદ્ધવજી કહી શકે કે મહારાષ્ટ્રમાં CAA કાયદો ન આવવો જોઈએ? હું તેમને અપીલ કરું છું કે તેઓ દેશના લોકો અને મહારાષ્ટ્રના લોકોને આ સ્પષ્ટ કરે કે, CAA કાયદો મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં ન આવવો જોઈએ. તેમજ હિન્દુ શરણાર્થીઓ અને બૌદ્ધ શરણાર્થીઓને નાગરિકતા ન મળવી જોઈએ. 

Join Our WhatsApp Channel

અમિત શાહે ( Amit Shah ) વધુમાં કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેને હાલ લઘુમતીઓના વોટની જરૂર છે, તેથી જ આજે ઉદ્ધવ ઠાકરે તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. અમે નથી કરી રહ્યા. કારણ કે અમારો સ્ટેન્ડ પહેલા દિવસથી સ્પષ્ટ છે. જે શરણાર્થીઓ ભારતના વિભાજિત ભાગોમાંથી આવ્યા છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ ત્રણેય દેશોમાંથી ધાર્મિક અત્યાચારના કારણે આવેલા લઘુમતીઓને ( minorities ) દેશની નાગરિકતા ( Indian citizenship ) આપવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતીને મળશે MNS નું સમર્થન, ભાજપ આટલી સીટો છોડી શકે છેઃ અહેવાલ.. જાણો શું હશે બેઠક વહેંચણી ફોર્મ્યુલા..

આ કાયદો 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશતા તમામ શરણાર્થીઓને લાગુ પડે છે..

CAAનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને માટે ભારતીય નાગરિકતા મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. આ કાયદો 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશતા તમામ શરણાર્થીઓને લાગુ પડે છે. 2019ના સુધારા મુજબ, 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારત આવ્યા અને તેમના મૂળ દેશમાં “ધાર્મિક ઉત્પીડન અથવા ધાર્મિક ઉત્પીડનના ભય”નો સામનો કરનારા સ્થળાંતર કરનારાઓ ભારતીય નાગરિકતા મેળવવા માટે પાત્ર છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી કેન્દ્ર સરકાર CAA કાયદો લાવી છે, ત્યારથી વિપક્ષ તેના સમયને લઈને ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યો છે. તો ઘણા નેતાઓએ આ કાયદાની ટીકા પણ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Saayoni Ghosh Leaves Mamata Banerjee બંગાળની રાજનીતિમાં નવો ટ્વિસ્ટ, મમતા બેનર્જીનો સાથ છોડ્યો સયાની ઘોષે? રાજકારણમાં નવી ચર્ચા
Muzaffarabad Mi17 Crash પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં મોટી દુર્ઘટના, Mi17 હેલિકોપ્ટર ક્રેશ; પાઇલટ સહિત તમામ સવારના મોત.
Global Supertanker Demand ઈરાનયુદ્ધ વચ્ચે સુપરટેન્કરની માંગમાં ધરખમ ઉછાળો વિશ્વભરના દેશો કરી રહ્યા છે રેકોર્ડ ખરીદી
Sharad Pawar’s Attack on BJP શરદ પવારનો ભાજપ પર પ્રહાર, ઈન્દિરા ગાંધી પરની ટિપ્પણીની નિંદા, મોદીનેહરુની સરખામણીને ગણાવી ખોટી
Exit mobile version