લો બોલો!  આત્મનિર્ભર બનવાની સલાહ આપનારી કેન્દ્ર સરકારના આ પ્રધાને લોકોને ઓનલાઈન ખરીદી કરવાની આપી સલાહઃ વેપારી આલમ રોષમાં. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
વિદેશી ઈ-કોમર્સ ઓનલાઈન કંપનીઓને કારણે દેશના નાના વેપારીઓનું અસ્તિતવ જોખમમાં આવ્યું છે. કોઈ પણ જાતના નીતિ-નિયમ કાયદાને નહીં માનનારી આ ઓનલાઈન કંપની સામે દેશભરના વેપારીઓનું નેતૃત્વ કરતી વેપારી સંસ્થા કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) સતત લડત આપી રહી છે. એવામાં કેન્દ્રના આરોગ્ય ખાતાએ લોકોને ઓનલાઈન ખરીદી પર ભાર આપો – એ મુજબની જાહેરાત આપી છે, તેની સામે દેશભરના વેપારીઓ ઉશ્કેરાઈ ગયા છે.

સરકાર એક તરફ આત્મનિર્ભર થવાની વાત કરે છે અને બીજી તરફ ઓનલાઈન ખરીદી કરવાની લોકોને સલાહ આપી રહી છે. આ રીતે સરકાર જ ઓનલાઈન વિદેશી ઈ-કોમર્સ કંપનીઓને પ્રમોટ કરી રહી છે એવો આરોપ  પણ વેપારીઓએ કર્યો છે. CAITએ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાને પત્ર લખીને સરકારની આ જાહેરાત સામે નારાજગી વ્યકત કરી છે. તેમજ નાના વેપારીઓ હિતને જોખમમાં મૂકનારી આ જાહેરખબરને તાત્કાલિક ધોરણે પાછી ખેંચવાની માગણી કરી છે.

ભાવના ગવળી આ કારણે ED કાર્યાલયમાં જતાં ડરે છે; માગ્યો 15 દિવસનો સમય

CAITએ સ્વાસ્થ્ય પ્રધાનને લખેલા પત્રમાં આ જાહેરખબરને તાત્કાલિક ધોરણે પાછી ખેંચવાની માગણી કરી છે. આ જાહેરખબર દેશના 8 કરોડથી વધુ નાના વેપારીઓને આઘાત આપનારી છે. આ જાહેરખબર ભારતના સંવિધાન વિરુધ્ધ વેપારીઓના મૌલિક અધિકારનું ઉલ્લંઘન કરનારી છે.  સરકાર આ જાહેરખબર દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન વેપારમાં ભેદભાવ કરી રહી છે એવો આરોપ પણ CAIT દ્વારા કરવામાં આવ્યો હતો.    

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More