Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો!  આત્મનિર્ભર બનવાની સલાહ આપનારી કેન્દ્ર સરકારના આ પ્રધાને લોકોને ઓનલાઈન ખરીદી કરવાની આપી સલાહઃ વેપારી આલમ રોષમાં. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
વિદેશી ઈ-કોમર્સ ઓનલાઈન કંપનીઓને કારણે દેશના નાના વેપારીઓનું અસ્તિતવ જોખમમાં આવ્યું છે. કોઈ પણ જાતના નીતિ-નિયમ કાયદાને નહીં માનનારી આ ઓનલાઈન કંપની સામે દેશભરના વેપારીઓનું નેતૃત્વ કરતી વેપારી સંસ્થા કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) સતત લડત આપી રહી છે. એવામાં કેન્દ્રના આરોગ્ય ખાતાએ લોકોને ઓનલાઈન ખરીદી પર ભાર આપો – એ મુજબની જાહેરાત આપી છે, તેની સામે દેશભરના વેપારીઓ ઉશ્કેરાઈ ગયા છે.

સરકાર એક તરફ આત્મનિર્ભર થવાની વાત કરે છે અને બીજી તરફ ઓનલાઈન ખરીદી કરવાની લોકોને સલાહ આપી રહી છે. આ રીતે સરકાર જ ઓનલાઈન વિદેશી ઈ-કોમર્સ કંપનીઓને પ્રમોટ કરી રહી છે એવો આરોપ  પણ વેપારીઓએ કર્યો છે. CAITએ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાને પત્ર લખીને સરકારની આ જાહેરાત સામે નારાજગી વ્યકત કરી છે. તેમજ નાના વેપારીઓ હિતને જોખમમાં મૂકનારી આ જાહેરખબરને તાત્કાલિક ધોરણે પાછી ખેંચવાની માગણી કરી છે.

Join Our WhatsApp Channel

ભાવના ગવળી આ કારણે ED કાર્યાલયમાં જતાં ડરે છે; માગ્યો 15 દિવસનો સમય

CAITએ સ્વાસ્થ્ય પ્રધાનને લખેલા પત્રમાં આ જાહેરખબરને તાત્કાલિક ધોરણે પાછી ખેંચવાની માગણી કરી છે. આ જાહેરખબર દેશના 8 કરોડથી વધુ નાના વેપારીઓને આઘાત આપનારી છે. આ જાહેરખબર ભારતના સંવિધાન વિરુધ્ધ વેપારીઓના મૌલિક અધિકારનું ઉલ્લંઘન કરનારી છે.  સરકાર આ જાહેરખબર દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન વેપારમાં ભેદભાવ કરી રહી છે એવો આરોપ પણ CAIT દ્વારા કરવામાં આવ્યો હતો.    

Supriya Sule On Disha Salian Case દિશા સાલિયાન કેસ પર સુપ્રિયા સુળે નું મોટું નિવેદન ‘આશ્ચર્ય થાય છે કે…’, સીબીઆઈ તપાસના ટાઈમિંગ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
WCEF 2026 Gandhinagar ગાંધીનગર બનશે ગ્લોબલ ગ્રીન ઈકોનોમીનું કેન્દ્ર ભારત ૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન વર્લ્ડ સર્ક્યુલર ઈકોનોમી ફોરમ ૨૦૨૬ની કરશે મેજબાની
Union Environment Minister Kutch GIB Visit લુપ્ત થતા ઘોરાડને બચાવવા કચ્છમાં ઐતિહાસિક પહેલ! કેન્દ્રીય મંત્રીના હસ્તે ‘સોફ્ટ રિલીઝ સેન્ટર’ અને ‘સાયરા વન કવચ’ દેશને સમર્પિત
Devendra Fadnavis On Marathi Hindi મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું માતૃભાષા સર્વોપરી છે, પણ રાષ્ટ્રભાષા સાથે કોઈ સંઘર્ષ નથી
Exit mobile version