સંજય રાઉતની મુશ્કેલીઓમાં વધારો, મુખ્યપ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક નિવેદન બદલ અહીં નોંધાયો કેસ

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉત વિરુદ્ધ નાસિકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. ફરિયાદના આધારે પંચવટી પોલીસે સંજય રાઉત વિરુદ્ધ આઈપીસીની કલમ 500 હેઠળ ફરિયાદ (Non cognisable) નોંધી છે.

by Dr. Mayur Parikh
Case Filed Against Sanjay Raut

News Continuous Bureau | Mumbai

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉત વિરુદ્ધ નાસિકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. ફરિયાદના આધારે પંચવટી પોલીસે સંજય રાઉત વિરુદ્ધ આઈપીસીની કલમ 500 હેઠળ ફરિયાદ (Non cognisable) નોંધી છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ સંજય રાઉત વિરુદ્ધ મુખ્યપ્રધાન એકનાથ શિંદે જેવી વ્યક્તિને બદનામ કરવા અને મુખ્યપ્રધાન પદની પ્રતિષ્ઠાને બદનામ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. શિવસેના (Shiv Sena)માં બળવા પછી ઠાકરે જૂથમાંથી શિંદે જૂથમાં આવેલા શિવસૈનિક યોગેશ બેલદારે સંજય રાઉત વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે ધનુષ્યમાંથી તીર છોડ્યું.. કહ્યું તાત્કાલિક સુનાવણી નહીં થાય.. ઉદ્ધવ ઠાકરે ઘાયલ..

મહત્વનું છે કે રવિવારે (19 ફેબ્રુઆરી) સંજય રાઉતે દાવો કર્યો હતો કે શિવસેના પાર્ટીનું નામ અને તીર-ધનુષનું પ્રતીક ખરીદવા માટે 2000 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે. અગાઉ, ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે જાહેર કર્યું હતું અને તેને ધનુષ અને તીરનું ચૂંટણી ચિહ્ન ફાળવ્યું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More