મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની રવાનગી CBIની કસ્ટડીમાં.. જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોના સંબંધમાં બુધવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને કસ્ટડી સોંપવામાં આવી હતી. 

મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાંથી દેશમુખને CBI ટીમ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દેશમુખે અગાઉ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસના સંબંધમાં સીબીઆઈને તેમને કસ્ટડીમાં લેવાની મંજૂરી આપતા વિશેષ અદાલતના આદેશને પડકાર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કરિયાણાની દુકાનો અને મોલમાં વાઇન વેચવા અગાઉ મહારાષ્ટ્ર સરકારે લીધો આ નિર્ણય. જાણો વિગતે

અનિલ દેશમુખે સોમવારે એડવોકેટ અનિકેત નિકમ મારફત દાખલ કરેલી અરજીમાં સીબીઆઈ દ્વારા તેમની કસ્ટડીની માંગણી કરતી અરજીને પણ પડકારી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More