Site icon News Continuous Bureau | Mumbai

વેક્સિનેશન મામલે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને બરાબર ખખડાવી; આ ચાલી રહી હતી ગંભીર ભૂલ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 જૂન 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

કોરોના પ્રતિબંધક વેક્સિન ઉપલબ્ધ કરી આપ્યા છતાં મહારાષ્ટ્ર સરકારની વેક્સિનેશનની કામગીરી અત્યંત નિરાશાજનક રહી હતી. એથી કેન્દ્ર સરકારે આ મુદ્દે મહારાષ્ટ્ર સરકારને બરોબરની ખખડાવી છે.

 કેન્દ્ર સરકારે બહાર પાડેલા આંકડા મુજબ જાન્યુઆરીથી માર્ચ આ ત્રણ મહિનામાં મહારાષ્ટ્ર સરકારે તેમને આપવામાં આવેલી વેક્સિનમાંથી ફકત 60 ટકા વેક્સિનનો ઉપયોગ કર્યો હતો. એટલું  જ નહીં, પણ વેક્સિનની અછત વચ્ચે  વેક્સિનનો વેડફાટ પણ સૌથી વધુ મહારાષ્ટ્રમાં થયો હતો. એ સામે પણ કેન્દ્ર સરકારે ભારે નારાજગી વ્યક્ત કરી છે. 

અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રને જાન્યુઆરીમાં 19.7 લાખ વેક્સિન મળી હતી, પણ ફક્ત 2.7 લાખ વેક્સિન જ વાપરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં 41.2 લાખ વેક્સિનમાંથી 9.3 લાખ અને માર્ચમાં 82.4 લાખમાંથી ફ્કત 50.1 લાખ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના આંકડા મુજબ 4 જૂન, 2021 સુધીમાં મહારાષ્ટ્રમાં ફક્ત 77 ટકા આરોગ્ય કર્મચારીઓને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જે નૅશનલ સ્તરે સરેરાશ 81 ટકા છે.

આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને અગ્રેસર રીતે વેક્સિન આપવાનો આદેશ છે, છતાં તેમનું 84 ટકા વેક્સિનેશન જ થયું છે. 45 વર્ષથી ઉપરના નાગરિકોના વેક્સિનેશનમાં પણ મહારાષ્ટ્રમાં કામગીરી નિરાશાજનક છે. 4 જૂન સુધીમાં આ એજ ગ્રુપના ફકત 40 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે.

આઘાડીમાં બિઘાડી : કૉન્ગ્રેસી નેતા સંજય નિરુપમે મહાવિકાસ આઘાડી સરકારના જ નિર્ણયની કરી આકરી ટીકા; કહી દીધી મોટી વાત, જાણો વધુ વિગત

એટલું જ નહીં પણ મહારાષ્ટ્રને ઉપલબ્ધ કરી આપવામાં આવેલી 2.37 કરોડ વેક્સિનમાંથી  11.65 લાખ વેક્સિન વેડફાઈ ગઈ હોવાનો પણ કેન્દ્ર સરકારે દાવો કર્યો છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version