છગન ભુજબળ સોમવારે યેવલાની મુલાકાતે હતા. આ સમયે, તેમને અચાનક અસ્વસ્થ લાગ્યું અને તેમને નાસિકની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમજ સારવાર દરમિયાન ડોક્ટરે તેને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. આમાં કોરોના ટેસ્ટ પણ સામેલ હતો. દરમિયાન મંગળવારે કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો અને તેને કોરોના હોવાનું સ્પષ્ટ થયું. મહત્વનું છે કે, કોરોનાના બીજા વેવ દરમિયાન છગન ભુજબળ પણ વાયરસથી સંક્રમિત થયા હતા. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થવા લાગ્યો છે. H1N1, H3N2 અને ઈન્ફલ્યુએન્ઝાના કેસોની સંખ્યા વધી રહી છે. જેના પગલે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : હે ભગવાન.. આ માવઠું ક્યારે પીછો છોડશે? ગુજરાતમાં ફરી આ તારીખથી કમોસમી વરસાદ પડવાની આગાહી, ધરતીપુત્રોની ચિંતામાં.
