Site icon

ઉત્તરાખંડનાં ચારો ધામની પવિત્ર માટી અને જળ અયોધ્યા રવાના, શ્રીરામના ચરણોમાં થશે અર્પણ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

27 જુલાઈ 2020

ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ મંદિરના શિલાન્યાસ ના પ્રસંગ માટે બદ્રીનાથ ધામથી પાવન માટી અને પવિત્ર જળ આજે મોકલવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શ્રી બદ્રીનાથ ધામ સિંહ ગેટના પ્રાંગણમાં એક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં અલકનંદા નદીનું પવિત્ર જળ અને માટીને અયોધ્યા રામના ચરણોમાં અર્પણ કરવા માટે રવાના કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ હરિદ્વારમાં, ઉત્તરાખંડના ચારે ધામમાંથી લાવેલાં પાણી અને માટીને એકત્રિત કરીને પછી આગામી 29 જુલાઈએ અયોધ્યા માટે રવાના કરાશે. 

નોંધનીય છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે ભગવાન શ્રી રામના ઐતિહાસિક મંદિરનો શિલાન્યાસ કરશે. અયોધ્યા વાસીઓ પણ ઉત્સાહિત છે કે મંદિર ના પાયામાં નાંખવા માટે ખાસ ઉત્તરાખંડ ચારધામ થી પવિત્ર ગંગા જળ અને પાવન માટી પહોંચી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version