મહાભારતના સમયનો ચારધામ યાત્રાનો રૂટ રીસ્ટોર કરવામાં આવશે, ઉત્તરાખંડ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના વિશે જાણો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  

બુધવાર

આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવોએ પગપાળા ચારધામ યાત્રા કરી હતી. જોકે સમયની સાથે રસ્તાઓ તેમ જ અનેક પ્રકારના રૂટ બન્યા હોવાને કારણે એ પૌરાણિક રસ્તો હંમેશ માટે ભુલાઈ ગયો. હવે ઉત્તરાખંડ સરકારે એક અનોખી પહેલ શરૂ કરી છે. આ અનોખી પહેલ હેઠળ સરકારી યોજના મુજબ 25 જેટલાં ટ્રૅક્ટરો પાંડવોના માર્ગે ચાલીને ચારધામ યાત્રાનો જૂનો રસ્તો ખોળી કાઢશે. વાત એમ છે કે આ રસ્તો કઈ જગ્યાએ થઈને જતો હતો એની નોંધ પુસ્તકોમાં હયાત છે. જોકે આ રસ્તો દુર્ગમ અને અઘરો હોવાને કારણે લોકોએ મોટર માર્ગના રસ્તે ચારધામ યાત્રા શરૂ કરી.

નવી સરકારે નિર્ણય કર્યો છે કે જૂનો રસ્તો શોધવામાં આવશે તેમ જ હરિદ્વારથી ગાઇડની ઉપલબ્ધતા રહેશે જેથી ધાર્મિક લોકો હરિદ્વારથી પગપાળા ચારધામ યાત્રા કરી શકે.

આને કહેવાય કિન્નાખોરી; મહારાષ્ટ્ર સરકારે પરમવીર સિંહનો પગાર બંધ કર્યો
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More