Site icon News Continuous Bureau | Mumbai

ચેન્નઈ લોકલ ટ્રેનોમાં આજથી મુસાફરી કરવાની છૂટ, મુંબઈ લોકલ ક્યારે શરૂ થશે?? મુંબઈકરોનો સવાલ

Mumbai Mega Block : Mumbai local tain services to be affected due to Mega Block on sunday

Mumbai Mega Block : મુંબઈમાં આવતીકાલે સેન્ટ્રલ, હાર્બર લાઇન પર મેગાબ્લોક; તો આજે રાત્રે આ રેલવે લાઈન પર નાઈટ બ્લોક.. મુસાફરોને થશે હાલાકી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

23 ડિસેમ્બર 2020 

ચેન્નઈના લોકો માટે સારા સમાચાર છે. દક્ષિણ રેલ્વેએ 23 ડિસેમ્બરથી સામાન્ય લોકોને બિન-પીક અવર દરમિયાન મુસાફરી કરવાની મંજૂરી આપી છે. આ સમાચારને રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કર્યા છે. 

રેલવેએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે વહેલી સવારે 9:30 થી સાંજના 4:30 સુધી અને સાંજે 7 વાગ્યાથી સેવા સમાપ્ત થાય ત્યાં સુધી આ બિન-પીક અવરમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. 

 

જો કે, તેમણે લોકોને મુસાફરી દરમિયાન આરોગ્ય મંત્રાલયની કોવિડ -19 સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરવાની વિનંતી કરી છે. આ દરમ્યાન મુસાફરોનના જરૂરી આઈકાર્ડ  રેલ્વે કર્મચારીઓ દ્વાર સ્ટેશનો પર અને મુસાફરી દરમિયાન ચકાસણી કરવામાં આવશે. 

 

સધર્ન રેલ્વેએ લોકલ ટ્રેન સર્વિસનો ઉપયોગ કરતા તમામ મુસાફરોને લોકોની સલામતી માટે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવાની અપીલ કરી છે. 

 

બીજી બાજુ મુંબઈગરાઓ આતુરતાથી જીવાદોરી સમાન લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે ખુલી મુકાય તેની રાહ જોઈ રહયાં છે.  આમ તો મુંબઈમાં15 જૂનથી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી છે પરંતુ તેમાં માત્ર જીવનાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને જ છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ મહિલાઓને નોન પીક અવરમાં પ્રવાસની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સર્વસામાન્ય લોકલ જનતા માટે શરૂ થઈ નથી. આમ આજે ચેન્નાઇમાં લોકલ ટ્રેન શરૂ થતાં મુંબઈના લોકો પણ આશા રાખી રહયાં છે કે લોકલ જલ્દી જ શરૂ થાય.

 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version