Site icon News Continuous Bureau | Mumbai

ભારે કરી- રામ ભક્ત બજરંગબલીને મોકલ્યું પાણીનું બિલ- ભરવા માટે આપ્યો 15 દિવસનો સમય-જાણો શું છે સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai

છત્તીસગઢ(Chattisgarh) નાં રાયગઢ(Raigarh)માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને(Raigad Municipal Corporation) મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ(Lord Rama) ના ભક્ત ‘બજરંગ બલી’(Lord Hanuman)ને પાણીનું બિલ(water bill) જમા કરાવવા માટે નોટિસ (Notice) મોકલી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હનુમાન મંદિરનું 400 રૂપિયા (વોટર ટેક્સ)નું બિલ બાકી છે. મંદિર મેનેજમેન્ટે(Temple Management) 15 દિવસમાં ટેક્સ ભરવો પડશે, નહીં તો કોર્પોરેશન દ્વારા કાનૂની કાર્યવાહી(Iegal action) કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ મુજબ સમગ્ર મામલો રાયગઢ શહેરના વોર્ડ નંબર 18 દરોગાપરાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિરમાં એક પણ નળ કનેક્શન નથી, તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ મોકલી છે. કોર્પોરેશનના આ પગલા સામે વોર્ડના સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કોર્પોરેશન ઓફિસે(Corporation Office) કયા આધારે હનુમાન મંદિરને નોટિસ મોકલી છે તે સૌની સમજની બહાર છે.

આ સમાચાર પણ વાંચો:  ગજબ કેવાય- સ્માર્ટફોન લેવા તત્પર હતી કિશોરી- લોહી વેચવા થઈ ગઈ તૈયાર- પહોંચી ગઇ બ્લડ બેન્ક- પછી શું થયું – જાણો અહીં

સમગ્ર મામલે રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી નિત્યાનંદ ઉપાધ્યાયે જણાવ્યું કે, વોર્ડમાં અમૃત મિશન યોજના હેઠળ મજૂરો વતી ઘરોમાં નળ જોડાણ(water connection) નું કામ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીની વિગતો રાખવામાં આવી હતી અને તેની એન્ટ્રી પણ કોમ્પ્યુટરમાં કરવામાં આવી હતી. આ ક્રમમાં હનુમાન મંદિરને પણ નોટિસ મોકલવામાં આવી છે. વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત ક્યા ઘરોમાં નળ કનેક્શન છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version