છત્તીસગઢમાં ભાજપના આ કદાવર નેતાએ ફાંસી લગાવીને કરી આત્મહત્યા, તપાસનો ઘમધમાટ શરૂ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

સોમવાર

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પરિવહન મંત્રી રાજીન્દરપાલ સિંહ ભાટિયાએ આત્મહત્યા કરી છે. 

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજીન્દરપાલ સિંહે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી હોવાના સમાચાર નથી. 

આ ઘટના અંગે પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.

જોકે, આ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. 

રાજીન્દરપાલ સિંહ ભાટિયા ભાજપના વરિષ્ઠ નેતા હતા. તેઓ રાજ્યના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રહી ચૂક્યા છે. 

આ ઉપરાંત તેઓ રાજનાંદગાંવની ખુજી વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More